SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રાવકજીવન કરીને તેમનો સાક્ષાત્કાર કરો. પૂછવું હોય તે પૂછો ! “તમારે નરકમાં કેમ જવું પડ્યું ? તમે તો ભગવાન મહાવીર સ્વામીના અનન્ય ઉપાસક હતા ! એવું કયું પાપ તમને નરકમાં લઈ ગયું ?” પૂછજો. પ્રત્યુત્તર મળશે. હું અત્યારે પ્રત્યુત્તર નહીં આપું. તમારે એમની પાસેથી જ કારણ જાણવું અને એ કારણનો તમારે ત્યાગ કરી દેવાનો, જેથી નરકમાં ન જવું પડે ! અથવા અહીં જ કોઈ સંવિગ્ન ગીતાર્થ શ્રમણશ્રેષ્ઠને પૂછી લેવું, જ્યારે સંપર્ક થઈ જાય ત્યારે ! જે સમયે ભગવાન મહાવીર સ્વામી વૈશાલીથી વિહાર કરીને વત્સદેશ પધાર્યા - વત્સદેશની રાજધાની કૌશામ્બી નગરીમાં પધાર્યા ત્યારે સ્વર્ગસ્થ રાજા શતાનિકની બહેન જયન્તી શ્રાવિકાએ વિશુદ્ધ વિનયભાવથી ભગવાનને પ્રશ્નો પૂછ્યા હતા, તમે જાણો છો ? કદાચ નહીં જાણતા હો. મહાન શ્રમણોપાસિકા જયન્તી : શ્રી ભગવતીસૂત્રના પ્રથમ શતકમાં જયન્તી શ્રાવિકાનું વર્ણન આવે છે. જ્યારે મેં એ પ્રસંગ વાંચ્યો હતો, શ્રાવિકા જયન્તીએ ભગવાનને જે પ્રશ્નો પૂછ્યા હતા તે વાંચતાં વાંચતાં જયન્તી પ્રત્યે હૃદય અહોભાવથી ભરાઈ ગયું હતું. એક શ્રમણોપાસિકા, ગૃહસ્થ સ્ત્રીનો કેટલો ગહન તત્ત્વબોધ ! કેવા ગહન, ગંભીર અને ગૂઢ પ્રશ્નો એણે પૂછ્યા હતા ! તમે કેવા પ્રશ્નો પૂછો છો, તેના આધારે તમારા જ્ઞાનનું અનુમાન થઈ શકે છે. તત્ત્વવિષયક ગહન ચિંતન વગર એવા પ્રશ્નો ઉદ્દભવી શકતા નથી. જયન્તીના પ્રશ્નો - ભગવાનના ઉત્તરો ઃ તમે લોકો જિનવચનો સાંભળો છો, તત્ત્વશ્રવણ પણ કરો છો. પરંતુ ચિંતનમનન નથી કરતા. એટલા માટે તત્ત્વવિષયક પ્રશ્નો તમારા મનમાં પેદા થતા નથી, એટલે તમારા પ્રશ્નો વિશેષ રૂપથી તત્ત્વવિષયક નથી હોતા. કોઈ કોઈ વાર લોકો એવા પ્રશ્નો પૂછે છે કે જે રાગદ્વેષને વધારનારા હોય છે. રાદ્વેષને ઉપશાન્ત કરનારા પ્રશ્નો પૂછવા, રાગદ્વેષની વૃદ્ધિ કરનારા નહીં. આજે હું જયન્તી શ્રાવિકાના પ્રશ્નો અને ભગવાન મહાવીર સ્વામીના ઉત્તરના કેટલાક નમૂનાઓ બતાવું છું. ભગવાન મહાવીર સ્વામી કૌશામ્બીમાં પધાર્યા, "ચંદ્રાવત૨ણ" નામના ચૈત્યમાં બિરાજ્યા. ભગવાનનું આગમન સાંભળીને જયન્તી શ્રાવિકા ભગવાનનાં દર્શનવંદન કરવા આવી. ભગવાને ત્યાં દેશના આપી. ધર્મદેશના પૂર્ણ થતાં શ્રાવિકાએ વિનયપૂર્વક ભગવાનને કહ્યું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy