SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ્રવચન : ૩પ) . . . - પરમ કપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચયનું પ્રતિપાદન કર્યું છે. એ દિનચયમાં જિનવચનોનું શ્રવણ કરવું અતિ આવશ્યક બતાવ્યું છે. તેમણે કહ્યું – જિનવચનોનું શ્રવણ કરવાનો નિયમ કરવો. – જે સાંભળો તેની ઉપર સમ્યગુ ચિંતન કરો. – જીવનની દરેક ક્રિયા આગમાનુસાર, શાસ્ત્રાનુસાર કરો. - જે ધર્મતત્ત્વ સાંભળો, તેમાંથી જે શકય હોય તેનું પાલન કરો. - જે ધર્મ-આરાધના નથી કરી શકતા એની લગની હોવી જોઈએ. – એ ધર્મ જેઓ આચરી શકે છે તેમની પ્રશંસા કરવી, ઉચિત સેવા કરવી. – ગહન-ગંભીર તત્ત્વ-ચિંતન કરવું. - જે તત્ત્વ તમને અતિગહન, ગૂઢ અને ગંભીર લાગે, જેનો અર્થ તમે ન સમજી શકતા હો તે માટે જઈને ગુરુદેવને વિનયથી પ્રશ્ન પૂછવો. ગ્રંથકારે કહ્યું છે: નિપુણ ભાવચિન્તનમ્ ૧૮ गुरुसमीपे प्रश्नः ॥५९।। રાજા પ્રદેશી : આ તમામ વાતો રાજા પ્રદેશના જીવનમાં આવી હતી. આચાર્યદિવશ્રી કેશીના પરિચયથી-સંપર્કથી - જેમ પારસમણિના સ્પર્શથી લોઢું સુવર્ણ બની જાય છે તેમ - પ્રદેશી વાસ્તવમાં ધર્માત્મા બની ગયા હતા. રાજા પ્રદેશી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. - પ્રતિદિન ગુરુદેવ કેશી આચાર્ય પાસેથી જિનવચન સાંભળતા હતા. – સાંભળેલી વાતો ઉપર મનનચિંતન કરતા હતા. – સાંભળતાં સાંભળતાં હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરતા રહેતા હતા. - તેમના જીવનની દરેક ક્રિયા ગુરુવચનાનુસાર થઈ ગઈ હતી. - જે શ્રમણધર્મનું પાલન એમના માટે અશકય હતું એ શ્રમણધર્મ પ્રત્યે એમનો આંતરિક પ્રેમ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy