SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રાવકજીવન – એક ભાગ દાનશાળા માટે આપ્યો. તમામ વ્યવસ્થા મંત્રીઓને સોંપીને રાજા જાતે વ્રતપાલન કરતો મન-વચનકાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યો. પતિથિના દિવસોમાં પૌષધ અને ઉપવાસ કરવા લાગ્યો. જ્ઞાન અને ધ્યાનમાં નિમગ્ન રહેવા લાગ્યો. તે વિચારતો રહેતો "ક્યારે સર્વસંગનો ત્યાગ કરીને શ્રમણ બનીશ? સંપૂર્ણ નિષ્પાપ જીવન ક્યારે જીવીશ? ધન્ય છે એ શ્રમણોને કે જેઓ યથાશક્તિ મોક્ષમાર્ગની આરાધના કરે છે. હું મન-વચન-કાયાથી એમની આરાધનાની અનુમોદના કરું છું.” “ગશ માવતિવા /દા તત્વ[૬ પ્રશંસોપવા ક૭” ગ્રંથકાર મહર્ષિએ આ બે વાતો જે કહી છે તે પ્રદેશના જીવનમાં, તેના ચિંતનમાં જાણવા મળે છે. તેના માટે શ્રમણજીવન અશકય હતું, પરંતુ એ શ્રમણજીવનમાં તેનો ભાવપ્રતિબંબ હતો. “ભાવપ્રતિબંધ’ એટલે આંતરિક લગાવ. આપણે જે ધર્મ-આરાધના ન કરી શકતા હોઈએ તો એ ધર્મ-આરાધના તરફ આપણો આંતરિક લગાવ તો હોવો જ જોઈએ. સંભવ છે કે શ્રદ્ધાવાન મનુષ્ય બાર વ્રતમય ગૃહસ્થજીવન સ્વીકારી ન શકે, પાલન કરવાની એની ક્ષમતા ન હોય, પરંતુ એના મનમાં એ ગૃહસ્થ ધર્મ પ્રત્યે લગની હોવી જોઈએ, અને લગની હશે તો તેના જીવનમાં બે વાતો હશે ? ૧. ગૃહસ્થ ધર્મનું પાલન કરનારાઓની પ્રશંસા. ૨. ગૃહસ્થ ધર્મનું પાલન કરવાવાળાઓની સેવા-ભક્તિ. લગની પ્રશંસા, સેવાભક્તિ ઃ ગ્રંથકાર આચાર્યદિને આ અતિ મહત્ત્વપૂર્ણ વાત કહી છે. જે ધર્મ-આરાધના તમારાથી ન થઈ શકતી હોય, તો એ ધર્મ-આરાધના પ્રત્યે તમારા મનમાં લગની હોવી જોઈએ. "હું કયારે શ્રમણધર્મનું પાલન કરી શકીશ?" એવી ઈચ્છા.... એવી ભાવના તમારા મનમાં હોવી જોઈએ. અને આ ભાવના સાચી છે કે જૂઠી, તેનો નિર્ણય કરવાનો ઉપાય પણ બતાવી દીધો છે ! – તમે સાધુધર્મનું પાલન નથી કરી શકતા, પરંતુ જે મહાપુરુષ સાધુધર્મનું પાલન કરે છે, તેની તમે પ્રશંસા કરો છો ? - સાધુધર્મનું પાલન કરનારાઓની સેવાભક્તિ કરો છો? જો કરતા હો તો માનવું પડશે કે તમારા મનમાં સાધુધર્મ પ્રત્યે લગની છે. એવું જ દાન, શીલ અને તપધર્મના વિષયમાં સમજવું. – તમે દાન નથી આપી શકતા, પરંતુ દાનધર્મ પ્રત્યે તમારી લગની હશે તો તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy