SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧૩૩ મેં મારા જીવનમાં ઘોર પાપો કર્યા છે. નિર્દોષ એવા અનેક જીવોની હત્યા કરી છે - હિંસા કરી છે. અનેક સાધુમહાત્માઓને ક્રૂરતાથી સંતાપ્યા છે, સતાવ્યા છે ! જૂઠ તો હું ડગલે ને પગલે બોલ્યો છું. માંસભક્ષણ કર્યું છે, મદિરાપાન કર્યું છે, જુગાર રમ્યો છું, શિકાર કર્યા છે. ઓહ ! મારું શું થશે ? મારે શું નરકમાં જવું પડશે ? નરકની પ્રચંડ આગમાં સળગવું પડશે ? મારા કરેલા પાપોની સજા તો મારે ભોગવવી જ પડશે !’ . ૨ એણે આચાર્યદેવ કેશી ગણધરના ચરણોમાં બેસીને એક દિવસ પોતાના મનમાં ચાલતી મથામણ વ્યક્ત કરી દીધી. આચાર્યદેવે જ્ઞાનવૃષ્ટિથી એના મનનું સમાધાન કર્યું. બાર વ્રત અંગીકાર કરીને દૃઢતા સાથે વ્રતમય જીવન જીવવાનો ઉપદેશ આપ્યો. પ્રદેશીના હોઠ ઉપર તો એક જ વાકય ગુંજતું રહે છે ઃ ‘ગુરુદેવ, હવે પછી આપની આજ્ઞા એ જ મારું જીવન હશે. હું શ્રમણ બનવા શક્તિમાન નથી, પણ હું આપનો.... શ્રમણાનો ઉપાસક અવશ્ય બની શકીશ.’ પ્રદેશીએ બાર વ્રત સ્વીકાર કર્યા. ગ્રંથકારે ત્રીજી વિકાસની ભૂમિકા આ જ બતાવી છે. શ્રુતશત્સ્યપાનનમ્ ॥૧॥ જે તત્ત્વની વાતો સાંભળી, જે ધર્મતત્વો જાણ્યા, એમાંથી જેટલું શક્ય હોય એનું પાલન કરવું જોઈએ. પ્રદેશી માટે ગૃહસ્થધર્મ શક્ય હતો. એણે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો અને એનું સમુચિત પાલન કર્યું. ‘જે ગુરુદેવ કહે એ જ મારે કરવાનું છે !' આ સંકલ્પ એમની ‘આમૈપત્તા ॥૧૪॥’ હતી. એમના માટે ગુરુ એ જ આગમ હતા. આગમ એટલે જ્ઞાન. જ્ઞાનથી જ્ઞાની ભિન્ન ન હોઈ શકે. જ્ઞાનીની શરણાગતિ એટલે જ્ઞાનની શરણાગતિ ! ગુરુની આજ્ઞા એ જ શાસ્ત્રની આજ્ઞા હોય છે ! પ્રદેશી માટે આચાર્યદેવ કેશી ગણધરની આજ્ઞા જ સર્વસ્વ હતી. એના હૈયામાં ગુરુદેવ પ્રત્યે પૂર્ણરૂપેણ સમર્પણ ભાવ ઉછળવા લાગ્યો હતો. -- રાજા પ્રદેશી વૈષયિક સુખોથી વિરક્ત બને છે : ‘રાયપસેશીય સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્રતધારી બન્યા પછી પ્રદેશી રાજા વિરક્ત બનતો જાય છે. તેના રાજ્યમાં સાત હજાર ગામ હતાં. રાજાએ એ ગામોને ચાર ભાગમાં વહેંચી દીધાં : એક ભાગ રાજ્યની વ્યવસ્થા માટે સેનાને આપી દીધો. એક ભાગ રાજ્યનાં ભંડાર માટે રાખ્યો. એક ભાગ અંતઃપુર(રાણીવાસ)ની રક્ષા અને નિર્વાહ માટે આપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy