SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રાવકજીવન ધર્મતત્ત્વનું સ્મરણ કર્યા પછી ગ્રંથકારે કહ્યું છે કે "એ સાંભળેલા ધર્મતત્ત્વનું આલોચન કરવું જોઈએ.” સચવ્ તથનોનસ્ / સારી રીતે ચિંતન-મનનઆલોચન કરવું જોઈએ. જેથી મનમાં કોઈ શંકા-સંદેહ યા વિપસ ન રહે. રાજા પ્રદેશના મનમાં આજે નવું જ ચિંતન ચાલુ થઈ ગયું હતું. જીવનમાં સૌ પ્રથમ આજે એ સ્વર્ગ અને નરકના વિષયમાં, આત્મા અને શરીરના જુદાપણાના વિષયમાં વિચારી રહ્યો હતો. ભિત્ર અસ્તિત્વનો સ્વીકાર કરી રહ્યો હતો. આત્મા દેખાતો કેમ નથી ? છતાંયે એના મનમાં નવા નવા પ્રશ્નો સર્જાતા હતા. આત્માનું શરીરથી અલગ અસ્તિત્વ હોય તો આત્મા પ્રત્યક્ષ દેખાવો જોઈએ. પણ સ્વતંત્ર આત્મા દેખાય છે કક્યાં ? બીજા દિવસે આચાર્યદેવની પાસે આવીને રાજાએ પોતાનો પ્રશ્ન તેમની સમક્ષ રજૂ કર્યો. આચાર્યદિવે એને કહ્યું : જેમ હવા પ્રત્યક્ષ નથી દેખાતી, છતાંય છે. આ વૃક્ષની ડાળીઓ હલે છે, પાંદડાઓ હલી રહ્યા છે, શા માટે? હવાના કારણે જ ને? કોઈ પણ કાર્યનું કારણ જ્યારે દેખીતે રીતે પ્રત્યક્ષ ન દેખાતું હોય ત્યારે એનો નિર્ણય પરોક્ષરૂપે કરવામાં આવે છે. માણસમાં ઇચ્છા, જ્ઞાન, સુખ-દુખ વગેરે દેખાય છે. આ બધાની પાછળ કારણ શું છે ? કંઈક કે કોઈક કારણ હોવું તો જરૂરી છે ને? બસ... એ કારણ છે આત્મા! ઈચ્છા..... જ્ઞાન વગેરે આત્માના ગુણો છે, જડના નહીં! માટે જ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે ! કારણ વગર કોઈ પણ કાર્ય સંભવિત નથી ! ઘણા બધા કાર્યો એવા છે કે જે આત્મા વગર સંભવિત નથી !' - આ રીતે રાજા આચાર્યદિવ સમક્ષ પ્રશ્નો રજૂ કરતો ગયો અને કરુણાના સાગર જેવા આચાર્યદિવ એક-એક પ્રશ્નોનો ખૂબ સારી રીતે રાજાના મનનું સમાધાન થાય એ રીતે જવાબ આપે છે. રાજાનું મિથ્યાત્વ દૂર થઈ ગયું. એના હૈયામાં સમ્યજ્ઞાનનો દીવો પ્રગટી ગયો. એને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ. રાજા પ્રદેશી શ્રમણોપાસક બને છે? આત્મા છે, આત્મા કમોંથી આવૃત્ત છે, પુણ્યકર્મ છે, પાપકર્મ છે, સ્વર્ગ છે, નરક છે, આશ્રવ, સંવર અને નિર્જરા છે, મોક્ષ છે. જ્યારે આ બધી વાતોની સમજણ રાજા પ્રદેશીને મળી ત્યારે એના મનમાં પોતાના વીતેલા વર્ષો પ્રત્યે. વીતેલા જીવન પ્રત્યે ઘોર વિષાદ અને ઊંડી વિષણતા પેદા થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy