SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૩૧ તો અહીં આવીને મને કેમ નથી કહેતી કે "બેટા, ધર્મના પ્રભાવે હું દેવલોકમાં દેવ બની છું, તું પણ ધર્મ કર.” જો મારી માતા આવીને મને કહે તો હું માની શકું કે જીવ અને શરીર ભિન્ન છે.” આચાર્યે કહ્યું: “રાજનું દેવલોકમાં જેઓ જાય છે તેઓ દિવ્ય પ્રેમમાં ડૂબી જાય છે. દિવ્ય વૈષયિક સુખોમાં આસક્ત થઈ જાય છે, એટલા માટે તેઓ અહીં આવતાં નથી. અને મનુષ્યલોક એટલો દુર્ગધમય, અશુભ છે કે દેવો અહીં આવવાનું પસંદ કરતા નથી. એટલા માટે સ્વર્ગમાં ગયેલી તારી માતા અહીં તારી પાસે આવતી નથી.” રાજા મૌન રહ્યો. તેણે ચિત્તની સામે જોયું. ચિત્તને કહ્યું "આજે હું થાકેલો છું. અત્યારે આપણે ચાલીએ, કાલે પાછા આવીશું. મારે ઘણા પ્રશ્નો પૂછવા છે.” ચિત્તે કહ્યું : “આચાર્યશ્રી અહીં એક માસ રોકાવા ઇચ્છે છે, એટલે આપ પ્રતિદિન અહીં આવીને જે કોઈ પ્રશ્નો પૂછવા હોય તે પૂછજો. મને વિશ્વાસ છે કે આપના પ્રશ્નોનું અહીં અવશ્ય સમાધાન થશે." બંને જણા ઊભા થયા, ચિત્તે બે હાથ જોડીને, મસ્તક નમાવીને પ્રણામ કર્યા. રાજાએ પણ એ જ રીતે નમસ્કાર કર્યો. આચાર્યો “ધર્મલાભ”નો આશીર્વાદ આપ્યો. અને રાજા ચિત્તની સાથે ત્યાંથી ચાલી નીકળ્યો. રાજા આચાર્યથી પ્રભાવિત થાય છે ? ચિત્તના મનમાં અતિ સંતોષ થયો. તે પોતાના મનમાં વિચારે છેઃ "ખૂબ સારું થયું. સારી ધર્મચર્ચા થઈ. આ રીતે પ્રતિદિન વાર્તાલાપ થશે તો મહારાજનું જીવન સુધરી જશે. તેમનો શિકાર છૂટી જશે. માંસાહાર અને મદિરાપાન છૂટી જશે. ઘણાં બધાં પાપ છૂટી જશે. જીવન ધર્મમય બની જશે. તેમનો પરલોક સુધરી જશે. સાચે જ હું એ ઈચ્છતો હતો. મારા ઉપર મહારાજાના અનેક ઉપકારો છે. આ ઉપકારોનો બદલો વાળવાનો આ અવસર મળી ગયો...” રાજાને રાજમહેલે મૂકીને ચિત્ત પોતાને ઘેર ગયો. રાજાના મનમાં આચાર્ય પ્રત્યે આદરભાવ પેદા તો થઈ જ ગયો હતો. તેને લાગ્યું કે "આચાર્ય ચંદ્ર સમાન સૌમ્ય છે, સૂર્યથી પણ વધારે તેમનું જ્ઞાન તેજ છે. તેમની આંખોમાં કરૂણાનો સાગર હિલોળા લઈ રહ્યો છે. હું દરરોજ એમની પાસે જઈશ. આજે એમણે મારા પ્રશ્નોના તર્કબદ્ધ ઉત્તરો આપ્યા. નરકમાંથી કોઈ આવી નથી શકતું, સ્વર્ગમાંથી પણ કોઈ આવી નથી શકતું. નરકમાં પરાધીનતા અને અતિભયંકર દુઃખ છે, ત્રાસ છે, સ્વર્ગમાં અતિ સુખ છે, વિષયાસક્તિ છે. વૈષયિક શ્રેષ્ઠ સુખોને છોડીને કોણ અહીં આવશે? સાચી વાત છે.” પ્રદેશી કલાકો સુધી વિચાર, ચિંતન, મંથન કરતો રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy