SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રાવકજીવન આવ્યા છે.” રાજાએ કહ્યું: "તેને કહો કે તે અત્યારે ને અત્યારે જ અહીંથી ચાલ્યા જાય.” ચિત્તે કહ્યું: “મહારાજ, મેં સાંભળ્યું છે કે આ આચાર્ય ખૂબ શાની છે. આપણે એમની પાસે જઈએ. તેમને જે પૂછવું હોય તે પૂછો. જો તેઓ આપના પ્રશ્નોનો યોગ્ય ઉત્તર ન આપે તો તેમને તરત જ અહીંથી ચાલ્યા જવાનું કહીશું.” ચિત્ત ઊભો થયો. રાજા પણ અનિચ્છાએ ચિત્તની સાથે ચાલ્યો. બંને જણા આચાર્યની પાસે આવ્યા. ચિત્તે વિનયપૂર્વક પ્રણામ કર્યા. રાજા પ્રદેશીએ અવિનય પ્રકટ કર્યો. ઊભા ઊભા જ પ્રદેશીએ આચાર્યને કહ્યું: "શ્રમણ નિગ્રંથોની આ પ્રતિજ્ઞા છે, આ દૃષ્ટિ છે, આ રુચિ છે, આ ઉપદેશ છે, આ સંકલ્પ છે, આ માને છે, પ્રમાણ છે કે જીવ પૃથકુ છે અને શરીર પૃથક છે. પરંતુ તેઓ નથી માનતા કે જે જીવ છે તે જ શરીર છે." આચાર્યે મધુર સ્વરે કહ્યું : "રાજનું, મારો વિચાર પણ એ જ છે કે જીવ અને શરીર પૃથક પૃથક છે. જે જીવે છે એ જ શરીર છે – આ મારો મત નથી.” પ્રદેશ બોલ્યો : "જીવ અને શરીર પૃથક-પૃથક છે અને જે જીવ છે, તે જ શરીર છે એવું જો ન માનતા હો તો હે શ્રમણ, માની લો કે મારા દાદા પાપકર્મોને કારણે મરીને નરકમાં ગયા હશે. હું એમનો પૌત્ર છું. તો મારા દાદાએ અહીં આવીને મને કહેવું જોઈએ કે “બેટા, ઘોર પાપને કારણે હું નરકમાં ગયો છું. એટલા માટે તું પાપ ન કરતો.” હે શ્રમણ, જો મારા દાદા આવીને મને એમ કહે તો હું જીવ અને શરીરને ભિન્ન માની શકું છું. મારા દાદા હજુ સુધી તો આવ્યા નથી. એટલા માટે હું માનું છું કે તેમના શરીરની સાથે જીવ પણ નષ્ટ થઈ ગયો હશે.” આચાર્યદેવે કહ્યું ”રાજનું, હું એક પ્રશ્ન પૂછું છું. માની લો કે કોઈ દુષ્ટ પુરુષ તમારી રાણીની સાથે વ્યભિચાર કરતાં પકડાઈ જાય, તો તેને શું દંડ આપશો ?” રાજાએ કહ્યું: "તેના શરીરના ટુકડા કરાવી દઉં...” આચાર્ય બોલ્યા : "પરંતુ તે પુરુષ કહે કે જરાક થોભો, હું મારા સંબંધીઓને જરા પૂછીને આવું કે વ્યભિચારનું ફળ પ્રાણદંડ છે, મોત છે." તો તું શું કરીશ? રાજાએ કહ્યું ક્ષણમાત્રનો વિલંબ કર્યા વગર હું એને મારી નાખીશ.” આચાદવે કહ્યું : "રાજનું બરાબર આ જ રીતે તારા દાદા નરકમાં પરાધીન છે, સ્વતંત્ર નથી. એટલા માટે તને કશું કહેવા માટે અહીં આવી શકતા નથી.” પ્રદેશીએ કહ્યું: "ઠીક છે, નરકમાં પરાધીનતા છે એટલે જીવ ત્યાંથી બહાર નીકળી શકતો નથી. પરંતુ મારી માતા તો ખૂબ જ ધાર્મિક હતી, તેણે ખૂબ જ ધમી કર્યો હતો, તે તો સ્વર્ગમાં ગઈ હશે ને ? સ્વર્ગમાં તો જીવ પરાધીન નહીં હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy