SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ શ્રાવસ્તિના શ્રમણોપાસકોએ આચાર્યદેવને સેતવ્યા ન જવા માટે ખૂબ સમજાવ્યા, પરંતુ પરોપકાર - રસિક આચાર્યદેવે સેતવ્યા જવાનો પોતાનો નિર્ણય ન બદલ્યો. "અમારા જીવનનું અસ્તિત્વ જ પરોપકાર માટે છે.” એ વાત ઉપર તેઓ અડગ હતા. તેમણે શુભ મુહૂર્તમાં સેતવ્યા તરફ વિહાર કર્યો જ. ભાગ - ૨ આ બાજુ ચિત્તે સેતવ્યા જઈને નગર બહારના મૃગવન’ના રક્ષકોને કહી દીધું ઃ "જિનમતના આચાર્ય પોતાના ૫૦૦ શિષ્યો સાથે અહીં પધારવાના છે. તેમનો સ્વાગત-સત્કાર થવો જોઈએ, સમજ્યાને !” પળવાર તો રક્ષકો સ્તબ્ધ થઈ ગયા. પછી તેમણે કહ્યું : "આપની આજ્ઞા છે તો અમે એમનું ઉચિત સ્વાગત કરીશું અને તેમને મૃગવનમાં ઉતારો આપીશું.” આચાર્યદેવ સાથે પ્રદેશીનું મિલન : વિહાર કરતા કરતા આચાર્યદેવ ૫૦૦ શ્રમણો સાથે સેતવ્યા પધાર્યા. મૃગવનના રક્ષકોએ એમને પ્રણામ કરીને તેમનું સહર્ષ સ્વાગત કર્યું અને મૃગવનમાં સ્થિરતા કરવા વિનંતી કરી. આચાર્યદેવ મૃગવનમાં સ્થિર થયા. આ બાજુ એક વનરક્ષકે જઈને ચિત્તને આચાર્યદેવના આગમનના સમાચાર આપી દીધા. ચિત્તે રાજા પ્રદેશીને કહ્યું : "મહારાજ, કમ્બોજથી નવા સુંદર અશ્વો આવ્યા છે. મેં રથમાં જોડ્યા છે. પધારો... નગરની બહાર ફરીને આવીએ.” રાજા રથમાં બેસી ગયો. ચિત્તે રથને નગરના બાહ્ય પ્રદેશમાં લાવીને દૂર દૂર જંગલમાં દોડાવ્યો. રાજા આનંદિત થયો. તેને અશ્વો પસંદ પડ્યા. તેણે અશ્વોની પ્રશંસા કરી. ચિત્તે રથ પાછો લીધો. રાજાએ કહ્યું : "ચિત્ત રથને મૃગવનમાં લેજે. થોડોક સમય વિશ્રામ કરીને પછી નગ૨માં જઈશુ.” ચિત્ત જેવું ઇચ્છતો હતો તેવું જ થઈ રહ્યું હતું. તે મનમાં ખૂબ જ પ્રસન્ન થઈ રહ્યો હતો. રથ મૃગવનમાં પ્રવેશ્યો. વનરક્ષકોએ રાજાને પ્રણામ કર્યા. જે પ્રદેશમાં આચાર્ય બિરાજતા હતા તેનાથી થોડેક જ દૂર એક સુંદર લતામંડપની પાસે રથને રોકી દેવામાં આવ્યો. રાજા અને ચિત્તે લતામંડપમાં પ્રવેશ કર્યો. બંને જણા ત્યાં બેઠા. આ બાજુ આચાર્ય કેશીકુમાર પોતાના ૫૦૦ શ્રમણોને જ્ઞાન-દાન આપી રહ્યા હતા. મૃગવનના નીરવ વાતાવરણમાં આચાર્યનો મધુર, ગંભીર અવાજ ગુંજી રહ્યો હતો. રાજા પ્રદેશીના કાને અવાજ આવ્યો. રાજાએ ચિત્તની સામે જોયું. રાજાના મુખ ઉપર, આંખોમાં નફરતનો ભાવ ઉમટવા લાગ્યો. તેણે ચિત્તને પૂછ્યું : "કોણ છે આ ? કોનો અવાજ છે આ ?" : ચિત્તે વિનયપૂર્વક કહ્યું : “મહારાજ, આ આચાર્ય કેશીકુમાર છે. આજે જ અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy