SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રાવકજીવન આરાધના શક્ય છે, એનું પાલન માટે કરવું જોઈએ. કાલે ગુરુદેવની પાસે જઈને ગૃહસ્થધર્મનો સ્વીકાર કરી લઈશ.” અને ચિત્ત ગયો આચાર્ય કેશીની પાસે. તેણે બાર વ્રતો સ્વીકારી લીધાં. તે શ્રમણોપાસક બની ગયો. ખૂબ આનંદિત થઈને રાજભવનમાં પાછો ફર્યો. રાજા જિતશત્રુએ ચિત્તને બોલાવીને કહ્યું : "ચિત્ત, મારો આ ઉપહાર મહારાજા પ્રદેશીને આપજે." ચિત્તે ઉપહાર લીધો અને સેતવ્યા જવાની તૈયારી કરી. તેણે પોતાના મનમાં વિચાર્યું : "હું આચાર્યદેવને સેતવ્યા પધારવા વિનંતી કરું. જો તેઓ સેતવ્યા પધારે તો મહારાજનું હૃદય-પરિવર્તન થઈ શકે. તેમનું ઉજડેલું જીવનવન નંદનવન બની શકે.” ચિત્ત રથમાં બેઠો, કોષ્ઠક વનમાં ગયો, આચાર્યદેવને વંદના કરીને વિનયથી બેઠો. તેણે કહ્યું ઃ “ભગવંત, હું આપને સેતવ્યા પધારવા માટે વિનંતી કરું છું. સેતવ્યા પધારવાથી મહાન ઉપકાર થશે, ગુરુદેવ !" “મહાનુભાવ, સેતવ્યાનાં દ્વાર સાધુ-મુનિ-સંન્યાસી માટે સદૈવ બંધ રહે છે. સેતવ્યાનાં વન-ઉપવનમાં પણ તેમને પ્રવેશ મળી શકતો નથી, એવું અમે સાંભળ્યું છે." આચાર્યદેવે કહ્યું, “ગુરુદેવ, આપના પધારવાથી સેતવ્યાનાં દ્વાર સદાને માટે ખૂલી જશે. સેતવ્યાનાં વન-ઉપવન સાધુ-મુનિ-સંન્યાસીઓની ધર્મદેશનાથી ગુંજવા લાગશે અને અમારા મહારાજાનું હૃદય-પરિવર્તન થશે. હજારો સ્ત્રી-પુરુષોનું આત્મકલ્યાણ થશે. આપની અનુકૂળતા અનુસાર પધારવા કૃપા કરો.” આ રીતે ચિત્તે ખૂબ જ અનુનય કર્યો. આચાર્યદેવે અનુનયનો સ્વીકાર કર્યો. ચિત્ત અત્યંત આનંદિત થયો. આચાર્યને વંદના કરીને તે પોતાના આવાસે આવ્યો. હૃદયમાં આશા અને ઉમંગ ભરીને તે ચેતવ્યા તરફ ચાલી નીકળ્યો. આચાર્ય કેશીકુમાર સેતવ્યા તરફ ઃ જો કે આચાર્યદેવે સેતવ્યા તરફ જવા અંગે ખૂબ વિચાર કર્યો. તેઓ પોતે તો મરણાન્ત ઉપસર્ગથી પણ નિર્ભય હતા, પરંતુ સાથે પ૦૦ સાધુઓનો વિચાર તેમને વિચલિત કરી રહ્યો હતો. વાસ્તવમાં રાજા પ્રદેશીએ અનેક સાધુ-સંન્યાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પરંતુ ચિત્ત કે જે પ્રદેશીનો સારથિ હતો, મંત્રી હતો, પ્રિયપાત્ર હતો, તે શ્રમણોપાસક બન્યો હતો; એટલા માટે તેઓ સેતવ્યા જવા માટે તત્પર બન્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy