SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૨૭ ચિત્તને અહીં શ્રાવસ્તિ નગરીમાં બીજું તો કોઈ કામ ન હતું. બપોરે અને રાત્રિના પ્રથમ પ્રહરમાં તે આત્મતત્ત્વ ઉપર જ વિચારતો હતો. પરમાત્માના વિષયમાં જ વિચારતો હતો. ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વની જે વાતો સાંભળી હતી, તે વાતો ઉપર ઉહાપોહ કરતો હતો. બીજે દિવસે તે કોષ્ટક વનમાં ગયો. આચાર્યદેવને ત્રણ પ્રદક્ષિણા આપીને, ભાવપૂર્વક વંદના કરીને, ઉપદેશ સાંભળવા બેઠો. આચાર્યદેવે અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર અને અપરિગ્રહ - આ પાંચ અણુવ્રતો સમજાવ્યાં. ગુણવ્રત અને શિક્ષાવ્રતો પણ સમજાવ્યાં. ગૃહસ્થધર્મનું સુંદર રીતે પ્રતિપાદન કર્યું. વ્રતમય, સંયમમય જીવનની મહાનતા બતાવી. "મનુષ્ય· જીવનની સાર્થકતા વ્રત-સંયમથી જ છે,” એ વાત સમજાવી. ચિત્તને ઉદાત્ત-મહાન અને ઉત્તમ જીવન જીવવાનું સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું. સરળ સ્વભાવનો તો હતો જ ! આચાર્યદેવનો ઉપદેશ સીધો જ હૃદયમાં ઊતરી ગયો. ઉપદેશ પૂર્ણ થયા પછી તેણે આચાર્યદેવને વંદના કરી, ઉપદેશની વારંવાર પ્રશંસા કરી અને તે પોતાના મહેલમાં પાછો ફર્યો. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતોના વિષયમાં તે દિનભર વિચારતો રહ્યો. “શું હું પણ આ વ્રતોને ગ્રહણ કરી શકું ? આ વ્રતોનું પાલન કરી શકું ખરો ? વ્રતપાલન કરવાની મારામાં ક્ષમતા છે ખરી ? એનાથી જીવનમાં આંતરિક તૃપ્તિ પ્રાપ્ત થશે ખરી ?” રાત્રે પણ જ્યાં સુધી નિદ્રા ન આવી ત્યાં સુધી તે વિચાર કરતો જ રહ્યો. આજે ત્રીજો દિવસ હતો. તે સવારનાં કાર્યો પતાવીને સીધો કોક વનમાં પહોંચ્યો. આજે તેણે આચાર્યદેવને પ્રદક્ષિણા આપી, વંદના કરી અને પછી પ૦૦ મુનિવરોને વંદના કરી. આજે એનું હૃદય આનંદથી, હર્ષથી ગદગદિત થઈ જતું હતું. તે અપ્રમત્ત થઈને ઉપદેશ સાંભળવા બેઠો. આજે આચાર્યદેવે મહાવ્રતમય શ્રમણજીવનનું વર્ણન કર્યું - એક એક મહાવ્રત બતાવ્યું. એક એક "સમિતિ-ગુપ્તિ”નું વર્ણન કર્યું. સાધુજીવનની દિનચર્યા બતાવી. શ્રમણના જ્ઞાનાનંદનું વર્ણન કર્યું. સાંભળતાં સાંભળતાં ચિત્ત હર્ષવિભોર થઈ ગયું. “આ શ્રમણજીવન જ શ્રેષ્ઠ જીવન છે.” આ વાત તેના હ્દયમાં ઊતરી ગઈ. ઉપદેશ પૂર્ણ થતાં તેણે આચાર્યદેવને વંદના કરી અને તે પોતાના સ્થાને ગયો. તેના મનમાં શ્રમણજીવનનાં મહાવ્રતો ઉપર ચિંતન શરૂ થઈ ગયું. “મહાવ્રતમય શ્રમણજીવન કેટલું નિષ્પાપ છે ! કેટલું ઉત્તમ છે ? પરંતુ શું હું એ જીવન પામી શકું ? એ જીવન જીવવાની મારી ક્ષમતા છે ? નહીં, અત્યારે આ સમયે હું શ્રમણોપાસક બની શકું છું. બાર વ્રતોનું પાલન કરી શકું છું. જે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy