SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રાવકજીવન પોતાના પ00 શિષ્યો સાથે બિરાજમાન હતા. નગરના ઈશાન ખૂણામાં કોષ્ઠક નામનું ચૈત્ય હતું, ત્યાં આચાર્યદિને નિવાસ કર્યો હતો. ચિત્તે બીજે દિવસે પ્રભાતમાં વિશાળ જનસમૂહને કોષ્ઠક ચૈત્ય તરફ જતો જોયો. તેના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. "આજે નગરમાં કયો મહોત્સવ હશે? અપાર જનસમૂહ એક જ દિશામાં જઈ રહ્યો છે !” ચિત્ત સારથિ શ્રમણોપાસક બને છે ? રથમાં બેસીને ચિત્ત પણ ઈશાન કોણ તરફ ચાલી નીકળ્યો. કોષ્ટક ચૈત્યમાં લોકોનો મોટો મેળો જામ્યો હતો. આચાર્ય કેશીકુમાર - જે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના બહુશ્રુત આચાર્ય હતા, તેમને ચિત્તે જોયા. આચાર્યનું સુંદર રૂપ અને સૌમ્ય આકૃતિ જોઈને ચિત્ત તેમના પ્રત્યે આકર્ષાયિો. લોકો આચાર્યને ત્રણ પ્રદક્ષિણા આપી રહ્યા હતા. ચિત્તે પણ ત્રણ પ્રદક્ષિણા આપી. લોકો આચાર્યને વંદના કરી રહ્યા હતા, ચિત્તે પણ વંદના કરી. આજે પહેલી જ વાર તે જૈન મુનિવરોને જોઈ રહ્યો હતો કારણ કે “સેતવ્યા” નગરીમાં પ્રાયઃ કોઈ પણ સાધુ-મુનિ-સંન્યાસી આવતા ન હતા. રાજા પ્રદેશી સાધુમુનિ-સંન્યાસીઓ પ્રત્યે ઘણા કરતો હતો તિરસ્કાર કરતો હતો. કોઈ કોઈ વાર તો મારી પણ નાખતો હતો. એટલે તવામાં સાધુ-મુનિ-સંન્યાસીનું જવું જ બંધ થઈ ગયું હતું. ચિત્ત સારથિ આચાર્યનો ઉપદેશ સાંભળવા બેઠો. આચાર્યના મધુર, ગંભીર ધ્વનિએ ચિત્તના મનને મોહિત કરી લીધું. આચાર્યે એ દિવસે આત્મતત્ત્વ સમજાવ્યું. પરમાત્માની ઓળખાણ કરાવી, ગુરુનું સ્વરૂપ સમજાવ્યું અને ધર્મતત્ત્વનો વાસ્તવિક બોધ આપ્યો. ચિત્તના દયમાં એક-એક વાત સ્પર્શી ગઈ. ચિત્ત બુદ્ધિશાળી હતો, તે એક-એક વાતને બુદ્ધિથી માપતો હતો અને તેનો સ્વીકાર કરતો હતો. ઉપદેશ પૂર્ણ થયો, તે મહેલમાં આવ્યો. તેના મનમાં સાંભળેલી વાતોનું ચિંતન ચાલી જ રહ્યું હતું. રાજા જિતશત્રુએ ચિત્તને કેટલાક દિવસો શ્રાવસ્તિ નગરીમાં રોકાવા કહ્યું. તેને ખૂબ આનંદ થયો. "સારું થયું, અહીં થોડાક દિવસ વધારે રોકાવાનું થયું! હું જ્યાં સુધી અહીં રહીશ, પ્રતિદિન આચાર્યનો ઉપદેશ સાંભળવા જઈશ ! એક પ્રહર પસાર થઈ જાય છે. લાગે છે એક ઘટિકા જ પસાર થઈ છે! આચાર્યશ્રી એક-એક વાત યુક્તિપૂર્વક કહે છે. ભિન્ન ભિન્ન ઉદાહરણો લઈને વાતને સિદ્ધ કરે છે. શાન્ત અને સ્પષ્ટ શૈલીમાં સમજાવે છે. કાશ ! મારા મહારાજા આ ઉપદેશ સાંભળે. પરંતુ તેઓ તો સાધુપુરુષોને જોતાં જ ભડકે છે, પ્રજ્વલિત થઈ જાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy