SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧૨૫ વિચારવાનો સમય ઘણો મળી શકે છે; અને જિનવચનોનું ચિંતન કરવાની કળા હસ્તગત થઈ ગઈ તો તમે ફાલતું પાપ-વિચારણા કરવાની આદતમાંથી બચી જશો. સભામાંથી : ચિંતન કેવી રીતે કરવું જોઈએ એ અમને આવડતું નથી ! મહારાજશ્રી ચિંતનનો પ્રારંભ પ્રશ્નથી, જિજ્ઞાસાથી થાય છે. વધારે પ્રશ્નો મનમાં ન ઊઠે. કોઈ વાત નહીં. બે પ્રશ્નોથી ચિંતનનો પ્રારંભ કરવો. શા માટે ? અને કેવી રીતે ?’ - ૨ ચિંતન કરવું ખૂબ જ આવશ્યક છે, કારણ કે વૃથા શ્રુત-વિનિતમ્ । ચિંતન નહીં કરો તો સાંભળેલું વ્યર્થ જશે. જિનવચનોનું ચિંતન કેવી રીતે કરવું જોઈએ એ હું એક રોચક દૃષ્ટાન્તના માધ્યમથી સમજાવું છું. રાજા પ્રદેશી : શ્રાવસ્તિ નગરી પાસે “સેતવ્યા” નામનું નગર હતું. તે નગર કેકયાદ્ઘ પ્રદેશની રાજધાની હતું. ત્યાંનો રાજા હતો પ્રદેશી. પ્રદેશી અધાર્મિક હતો, ધર્મથી વિપરીત આચરણ કરનારો હતો. તે ખૂબ ક્રૂર, રૌદ્ર, પ્રચંડ અને ક્રોધી હતો. સદાય શિકાર કરતો હતો. પશુ-પક્ષી અને મનુષ્યોની હત્યાથી તેના હાથ રક્તરંજિત રહેતા હતા. રાજા પ્રદેશીના રથનો સારથિ હતો ચિત્ત. ચિત્ત ઉંમરમાં પ્રદેશી કરતાં મોટો હતો. રાજા એને પોતાના ભાઈ સમાન ગણતો હતો. ચિત્ત અર્થશાસ્ત્રમાં પારંગત હતો, તેથી તેણે રાજ્ય-સમૃદ્ધિ વધારી હતી. તે ચારે પ્રકારની નીતિઓમાં કુશળ હતો. પ્રત્યેક કાર્યને સામ, દામ, દંડ અને ભેદથી પતાવવો હતો. રાજા પ્રદેશી વિભિન્ન વાતોમાં ચિત્ત સાથે ચર્ચાવિચારણા કરી લેતો હતો - એક પ્રકારે રાજા ચિત્તને મંત્રી જ માનતો હતો. રાજાનો ઘોર હિંસાચાર ચિત્તને પસંદ ન હતો, પરંતુ તે જાણતો હતો કે "રાજા આત્મતત્ત્વને માનતો જ નથી. એટલે તે પુણ્ય-પાપ અને સ્વર્ગ-નર્કને પણ માનતો નથી. કોઈ જ્ઞાની; કોઈ સાધુ-સંન્યાસી રાજાને આત્માનું અસ્તિત્વ સમજાવી શકતા ન હતા. જ્યાં સુધી આત્માનું અસ્તિત્વ રાજા નહીં સમજે, ત્યાં સુધી હિંસા વગેરે અનેક પાપોથી તે નિવૃત્ત નહીં બને. હું તો તેનો સેવક છું. મારે એને સમજાવવાની ચેષ્ટા ન ક૨વી જોઈએ. પોતાની યોગ્યતા અનુસાર જ કાર્ય કરવું જોઈએ.” ચિત્તને બોલાવીને એક દિવસે રાજાએ કહ્યું : "તારે શ્રાવસ્તિ જવાનું છે અને રાજા જિતશત્રુને મારી આ ભેટ આપવાની છે.” રાજાની ભેટ લઈને ચિત્ત શ્રાવસ્તિ ગયો. રાજા જિતશત્રુને તેણે ભેટ આપી દીધી. જે સમયે ચિત્ત શ્રાવસ્તિમાં ગયો હતો તે સમયે શ્રાવસ્તિમાં આચાર્ય કેશીકુમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy