SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૩૪ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના સ્વરચિત “ધબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકની દૈનિક ચર્યા બતાવી છે. પ્રાભાતિક કાર્ય બતાવતાં તેમણે : – શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવું. – દેહશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ કરીને ગૃહમંદિરમાં ચૈત્યવંદન કરવું. - પ્રતિક્રમણ દરમિયાન પચ્ચક્ખાણ-ધારણા કરવી. – પરિવાર સાથે જિનભવન જવું. – વિધિપૂર્વક જિનપૂજા કરવી. – ગુરુવંદન કરવાં, ધારણા અનુસાર પચ્ચક્ખાણ કરવું. અને તેમની પાસે જિનવચન-શ્રવણ કરવું - આટલી વાતો બતાવી છે. વચ્ચે બીજી કોઈ વાત બતાવી નથી. કોઈ વાત નહીં, કોઈ ચર્ચા નહીં. બીજું કોઈ કામ નહીં. સારો છે ને આ પ્રાભાતિક કાર્યક્રમ ? તમે પણ આટલો કાર્યક્રમ બનાવી શકો, જો સૂર્યોદય પૂર્વે નિદ્રાત્યાગ કરી શકો તો. સૂર્યોદય પૂર્વે એક કલાકે જાગવું જોઈએ અને બીજા કોઈ કાર્યક્રમની જવાબદારી માથે ન રાખવી જોઈએ. - બીજાં બધાં કાર્યો ધર્મોપદેશ સાંભળ્યા પછી જ કરવાનો નિર્ણય કરી લેવો જોઈએ. હા, જે ગામમાં પ્રતિદિન સદ્ગુરુનો સંયોગ નથી મળતો, ત્યાં જિનપૂજા કર્યા પછી ઉપાશ્રયમાં અથવા ઘરમાં આવીને સામાયિક કરવું. સામાયિકમાં શ્રી નવકાર મંત્રનો જાપ કરવો અને ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કરવું. પરંતુ સદ્ગુરુનો સંયોગ મળે ત્યારે તેમની પાસે જઈને જિનવચનોનું શ્રવણ કરતા રહેવું. દ૨૨ોજ અથવા કોઈ કોઈ વાર જિનવચન સાંભળવાથી તમારા મનમાં નિરાકુલતા-સ્વસ્થતા રહેશે. મનની શંકાઓ દૂર થશે. સાંભળ્યા પછી ચિંતન કરવું ઃ ગ્રંથકાર કહે છે : સમ્યક્ તવર્ણાકોચનનું રૂા જિનવચન સાંભળ્યા પછી એ વચનોનું વારંવાર - પુનઃ પુનઃ ચિંતન કરવું, ચિંતન કરવા માટે વિશેષ સમય કાઢવાની જરૂર નથી. કપડાં પહેરતાં પહેરતાં, ભોજન કરતાં કરતાં, ટ્રેઈન યા ટેક્સીમાં મુસાફરી કરતાં કરતાં તમે ચિંતન કરી શકો છો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy