SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ - મળી ગયો છે. જે પરિવારોમાં વડીલોનો વિનય રાખવામાં આવતો હતો, તેમની મર્યાદાઓનું પાલન થતું હતું, એ પિરવારોમાં વડીલોની ઉપેક્ષા-મર્યાદાભંગ અને તેમનો તિરસ્કાર થાય છે. ૧૨૩ જે પરિવારોમાં લેણ-દેણનો વ્યવહાર શુદ્ધ રહેતો હતો, ત્યાં આજે દગો-કપટ અને વિશ્વાસઘાત થઈ રહ્યાં છે, અર્થપ્રધાન અને ભોગપ્રધાન વિચારધારાઓ વહેવા લાગી છે. આવી વિકટ પરિસ્થિતિમાં સદાચારો અને સદ્વિચારોની રક્ષા કેવી રીતે ફરશો ? રક્ષાના ઉપાયો કરવા જ પડશે. "સદાચાર બચાવો" આંદોલન આવશ્યક : અનેક ઉપાયોમાંનો એક ઉપાય છે આંદોલન કરવાનો. "સદાચાર બચાવો” આંદોલન શરૂ કરી દેવું જોઈએ. પ્રજામાં આંદોલનની પ્રબળ ભાવના ભરી દેવી જોઈએ. યાદ રહે કે સદાચાર અને સદ્વિચારોને નહીં બચાવીએ તો શાસનનેજિનશાસનને નહીં બચાવી શકીએ. જિનશાસનની રક્ષા કરવાની ભાવનાવાળાઓએ સૌ પ્રથમ આ કામ કરવું પડશે - સદાચા૨-રક્ષાનું અને સદ્વિચાર-રક્ષાનું. સદાચારને અને સવિચારોને નષ્ટ કરી નાખનારો એક રાક્ષસ પેદા થઈ ગયો છે - નશાખોરીનો. તમાકુથી બ્રાઉન સુગર સુધી આ રાક્ષસનો પંજો ફેલાયેલો છે. કિશોરો અને કિશોરીઓ આ રાક્ષસની લપેટમાં આવી ગયાં છે. આ નાદાનોને કોણ બચાવે ? કેવી રીતે બચાવવાં આ નિર્દોષોને ? જિનવચનને સહારે જ આ લોકોને બચાવી શકાય. આયોજન કરવું પડશે, એ લોકો સુધી જિનવચન પહોંચાડવાનું. આ કાર્યમાં જેટલો વિલંબ થશે, એટલો જ આ નશાખોરીનો રાક્ષસ સંઘ-સમાજને ભક્ષ્ય બનાવી દેશે. એટલા માટે વિભિન્ન માધ્યમોથી જિનવચનોનો વધારેમાં વધારે પ્રસાર કરવો પડશે. તતો બિનવચનશ્રવળે નિયોઃ - પચ્ચક્ખાણ કર્યા પછી જિનવચનનું શ્રવણ કરવાનો નિયમ હોવો જોઈએ. એ વાતનો તાત્પર્યાર્થ બતાવ્યો છે. આ વાતનું મહત્ત્વ બતાવ્યું છે. તમે ગંભીરતાથી વિચારજો. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy