SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રાવકજીવન હતી ? ધર્મપુરુષાર્થની કેવી જ્વલંત પ્રેરણાઓ પ્રાપ્ત કરી હતી, શું તમે નથી સાંભળ્યું ? * વર્તમાનકાળમાં પણ આવા કેટલાય મહાનુભાવોને જાણું છું કે જેઓ યોગ મળતાં દરરોજ જિનવચન સાંભળે છે. એક દિવસ પણ ચૂકતા નથી. તેમણે તેમના જીવનમાં અદ્દભુત પરિવર્તન કર્યું છે. દુરાચારો છોડીને, સદાચારોનું પાલન કરતા રહ્યા છે. દરેક સ્થિતિમાં શાન્તિ અને સમતા ટકાવી રાખે છે. અવસર આવતાં પરોપકારનાં કાર્યો કરે છે. પરમાત્મપૂજા, સામાયિક, પ્રતિક્રમણ જેવી ધર્મક્રિયાઓ કરતા રહે છે. સ્વાધ્યાય અને ધ્યાન કરે છે. પોતાનાં પારિવારિક કર્તવ્યો નભાવે છે અને સર્વત્યાગમય સાધુજીવન જીવવાની ભાવના રાખે છે. ક્રોધ, માન, માયા અને લોભકષાયો પર જેમણે સારો કાબૂ મેળવ્યો છે. છે આવા મહાનુભાવો વર્તમાનકાળમાં પણ. કારણ કે જિનશાસન છે, જિનશાસનનાં કર્તવ્યો છે, સાધુ-સાધ્વી છે, ઘણું બધું છે આજે, આપણે તેનો લાભ ઉઠાવવો જોઈએ. સભામાંથી શું કરીએ? મન તડપે છે જિનવચન સાંભળવા માટે, પરંતુ દેશકાળ પ્રતિકૂળ છે. આર્થિક વિષમતા છે. શેઠ હોય યા નોકર, સવારે નવ વાગે બજારમાં જવું પડે છે. રાત્રે નવ વાગે થાકયા-પાક્યા પાછા ફરીએ છીએ. જ્યારે સાંભળીએ ધમપદેશ ? મહારાજશ્રી તમારું કહેવું સત્ય છે. આજીવિકાનો પ્રશ્ન વિકટ થતો જાય છે. બજારની સ્થિતિ પણ સારી નથી. આમાં પણ જેઓ નોકરી કરનારાઓ છે, જેઓ સ્કૂલ-કૉલેજોમાં ભણવાવાળા છે તેમને ધમપદેશ સાંભળવો મુશ્કેલ થઈ ગયો છે. શરીરથી જેઓ પરવશ થઈ ગયા છે, રોગગ્રસ્ત છે, તેમને માટે પણ જિનવચનો દુર્લભ થઈ ગયાં છે. છતાં પણ જ્યારે અનુકૂળતા પ્રાપ્ત થાય, તમે જિનવચન સાંભળતા રહો. સાંભળવાનો યોગ ન મળે ત્યારે વાંચવાનો પ્રયત્ન કરો. સાંભળો થા વાંચો, કંઈ પણ કરો, તમારે તમારા સદાચારોની-સર્વિચારોની રક્ષા કરવાની છે. સદાચાર અને વિચારો પર આક્રમણ : જો કે કેટલાંક વર્ષોથી સદાચારો ઉપર અને સર્વિચારો ઉપર પ્રબળ આક્રમણ થઈ રહ્યું છે. અને આપણા હજારો-લાખો જૈન પરિવાર એ આક્રમણો સામે આત્મસમર્પણ કરતા જાય છે. સદાચારોને છોડતા જાય છે, દુરાચારોને સ્વીકારતા જાય છે. સવિચારો છોડતા જાય છે અને ખરાબ વિચારોમાં ફ્લાતા જાય છે. - જે પરિવારોમાં ગાળ્યા વગર પાણી પીવામાં આવતું ન હતું એ પરિવારોમાં કયાંક કયાંક શરાબની બાટલીઓ જોવામાં આવે છે. – જે પરિવારોમાં કંદમૂળનો પ્રવેશ વર્ષ હતો ત્યાં ઈંડાં અને આમલેટને પ્રવેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy