SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ચરણોમાં પ્રણામ કર્યા. પિતાપુત્ર બંનેની આંખો આંસુથી ભરાઈ ગઈ. રજનીશે કહ્યું : ”અવનીશભાઈ, તમે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે, તમે શોભાના અને આવનાર બાળકના પ્રાણ બચાવ્યા. તમારો ઉપકાર જિંદગીપર્યંત નહીં ભૂલીએ.” અવનીશ કશું બોલ્યા વગર ઊભા રહ્યા. - ૨ કોશલ બોલ્યો : "કાકા, જ્યાં સુધી શોભા ઘરે નહીં આવે ત્યાં સુધી અમે તમારે ત્યાં ભોજન કરીશું.” અવનીશે કોશલને માથે હાથ ફેરવતાં કહ્યું : "બેટા, તારું જ ઘર છે......અવશ્ય, ભોજન આપણે સાથે બેસીને જ કરીશું. આથી તારી કાકીને ખૂબ આનંદ આવશે.” એટલામાં રજનીશની પત્ની ત્યાં આવી અને બોલી ઃ "શોભા અને બાળક બંને કુશળ છે, ત્યારે કોશલે કહ્યું : "મા, તું અહીં રહે, અમે બધાં અવનીશકાકાને ત્યાં ભોજન કરીશું. તું ભાભીને મોકલી દે.” કોશલની માએ અવનીશને બે હાથ જોડીને પ્રણામ કર્યા અને કહ્યું : "ભાઈ, મને ક્ષમા કરી દો, મારે લીધે જ આપણા બે પરિવારોમાં તિરાડ પડી હતી.......તમે તિરાડ દૂર કરી.......અમારા ઉપર મહાન ઉપકાર કર્યો....... અમે આ ઉપકારને કદી ય નહીં ભૂલીએ.” અવનીશે કહ્યું : "ભાભી, ઉપકાર નથી કર્યો, મારી પુત્રવધૂને બચાવવાનો મારો ધર્મ હતો........વધારે કશું નહીં." બંને. પરિવારોમાં ફરીથી મૈત્રી બંધાઈ ગઈ. જિનશાસનની સારભૂત વાતો : जिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम् साधर्मिक वात्सल्यं भक्तिश्च तथा जिनेन्द्राणाम् ॥ ૧. જીવદયા, ૨. કષાયોનો નિગ્રહ, ૩. સાધર્મિક વાત્સલ્ય અને ૪. જિનેન્દ્ર ભગવંતની ભક્તિ. આ ચાર વાતો જિનશાસનની સારભૂત વાતો છે. જો આ ચાર વાતો જીવનમાં આવી જાય તો જીવનમાં જિનશાસન આવી જાય છે. હવે આ ચાર વાતો ૫૨ થોડું વિવેચન કરીશ. જીવદયા ઃ પ્રથમ વાત બતાવી છે જીવદયાની. "દયા" સામાન્યતઃ દુઃખી જીવો પ્રત્યે બતાવવામાં આવે છે. દયાનો જન્મ કોમળ હૃદયમાં થાય છે. જો તમારું હૃદય કોમળ હશે, મૃદુ હશે તો જ દયાનો જન્મ થશે. કઠોર અને ક્રૂર હૃદયમાં દયાનો જન્મ થતો નથી. દયા અને મૈત્રીનું કાર્ય સમાન હોય છે. ‘પરહિત’ કરવું જેમ મૈત્રીનું કાર્ય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy