SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન તેમ દયાનું પણ કાર્ય છે. દયા કરવી એટલે પરહિત કરવું. મૈત્રીભાવ રાખવો એટલે કે પરહિત કરવું. જિનશાસનનું સારરૂપ પ્રથમ તત્ત્વ છે પરહિત. બીજા જીવોના હિતનો જ વિચાર કરવાનો છે. દ્રવ્યહિત અને ભાવહિત - બંને પ્રકારના હિતોનો વિચાર કરવાનો છે. ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નગ્નને વસ્ત્ર આપવું, નિર્ધનને ધન આપવું, રોગીને ઔષધ આપવું - આ સર્વે દ્રવ્યદયા છે. જે હિંસક છે તેને અહિંસક બનાવવો, જે જૂઠું બોલનાર છે તેને સત્યવાદી બનાવવો. જે ચોરી કરે છે તેને પ્રામાણિક અને નીતિવાન બનાવવો, દુરાચારી છે તેને સદાચારી બનાવવો, પરિગ્રહીને અપરિગ્રહી બનાવવો, ક્રોધીને ક્ષમાવંત બનાવવો, અભિમાનીને વિનમ્ર બનાવવો, માયાવીને સરળ બનાવવો - આ સર્વે ભાવદયા છે. આ દ્રવ્યદયા અને ભાવદયા - બંને પરહિતના કાર્યો છે. આ પરમાર્થ છે. આ પરમાર્થ જિનશાસનનું સારભૂત તત્ત્વ છે. શું કદી પણ તમારા હૃદયમાં બીજા જીવોના હિતનો, તેમના સુખ-શાન્તિનો વિચાર આવે છે? "સંસારના તમામ જીવોનું હિત થાઓ, બધા જીવો સુખી થાઓ, સર્વે જીવોને શાન્તિ મળો, કોઈનું પણ અહિત ન થાઓ, કોઈ જીવ દુઃખી ન થાઓ, કોઈનેય અશાન્તિ ન હો” - આવી સંવેદના શું પેદા થાય છે? જો આવી સંવેદના થતી હોય તો સમજવું કે તમારું દય કોમળ છે, મૃદુ છે. જો તમે તમારા જ સ્વાર્થમાં લીન હશો, પોતાના જ વિચારોમાં ડૂબેલા હશો તો પરમાર્થની દૃષ્ટિ ખૂલશે નહીં. સ્વાર્થના રાહ ઉપર ચાલવાથી કષાયોનાં ભૂત ડગલે ને પગલે સતાવતાં રહેશે. કષાયોનો નિગ્રહ : કષાયોનો નિગ્રહ કરવો એ જિનશાસનનું બીજું સારભૂત તત્ત્વ છે. કષાય-નિગ્રહ કરવા માટે સ્વાર્થનું વિસર્જન કરવું પડશે. જ્યાં સુધી સ્વાર્થ રહેશે, થોડોક પણ સ્વાર્થ રહેશે ત્યાં સુધી કષાયો દૂર થવાના નથી. કષાયોનો નિગ્રહ કરવા પ્રયત્ન કરવો જ પડશે. કષાયોને કારણે જ આપણે ક્લેશ, અશાંતિ, ઉદ્વેગ અને સંતાપ અનુભવીએ છીએ. ગમે તેટલી ધર્મક્રિયાઓ કરવા છતાં પણ જો કષાયોનો નિગ્રહ ન કર્યો તો શાન્તિ- સમતા - સમાધિ મળનારી નથી. કષાયને કારણે મૈત્રીભાવ પણ તૂટી જાય છે. કષાયનિગ્રહ કરનારો મનુષ્ય જ મૈત્રીભાવને અખંડ રાખી શકે છે. સભામાંથી કષાયોનો નિગ્રહ કરવો ખૂબ મુશ્કેલ લાગે છે. કષાયો વધતા રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy