SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રાવકજીવન અમારે ત્યાં સાધુસમુદાયોમાં અને સાધ્વીસમુદાયમાં વંદનવ્યવહારનું ચુસ્ત રીતે પાલન થાય છે. સાધુજીવનમાં પ્રધાન ધર્મ જ વિનય છે. ધર્મનું મૂળ વિનય છે. વંદનથી વિનયનું પાલન થાય છે. વંદનથી નમ્રતા આવે છે. પરસ્પરનો સ્નેહ ટકી રહે છે. ગુરુવંદનથી વિશેષ રૂપે છ ગુણોની પ્રાપ્તિ થાય છે. વંદનથી ગુણપ્રાપ્તિ : * સૌ પ્રથમ તો વિનયગુણની પ્રાપ્તિ થાય છે, ગુરુવિનય થાય છે. * બીજો નમ્રતાનો ગુણ પ્રાપ્ત થાય છે, અભિમાન દૂર થાય છે. * વંદન કર્યાં એટલે ગુરુપૂજા કરી, ગુરુપૂજાથી ગુરુતા પ્રાપ્ત થાય છે. * "ગુરુને વંદન કરવાં જોઈએ” આ જિનાજ્ઞા છે. વંદન ક૨વાથી જિનાજ્ઞાનું પાલન થાય છે. * ગુરુવંદન કરીને તમે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો છો. આ શ્રુતધર્મની આરાધના છે. * વંદનથી વિનય આવે છે અને વિનયથી કર્મનાશ થાય છે. વંદન કરવાથી આટલા બધા ગુણોની પ્રાપ્તિ થાય છે. એટલા માટે પ્રતિદિન ગુરુવંદન કરવાં જોઈએ. સવારે, બપોરે અને સાંજના - ત્રણે સમયે ગુરુવંદન કરવાં જોઈએ. * જે સમયે વંદન કરવાનાં હોય છે એ સમયે વંદન કરવામાં ન આવે તો "અવિનય" વધે છે. "અવિનય” એ મોટો દોષ છે. વંદન ન કરવાથી દોષવૃદ્ધિ : ગુરુવંદન ન કરવાથી અભિમાન વધે છે. ગુરુ નજીક જ હોવા છતાં પણ ગુરુની ઉપેક્ષા કરીને જે ગુરુને વંદન નથી કરતો તેનું અભિમાન વધે છે. અભિમાની મનુષ્ય ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. ગુરુ હોવા છતાં ગુરુને વંદન ન કરવાં, એ ગુરુનો તિરસ્કાર છે. ગુરુનો તિરસ્કાર કરવો એ ખૂબ મોટો દોષ છે, મોટું પાપ છે. # ગુરુનો તિરસ્કાર કરવાથી "નીચ ગોત્ર” કર્મ બંધાય છે. અનેક જન્મો સુધી આ નીચ ગોત્રકર્મ દુઃખ આપે છે. આ કર્મથી પશુયોનિમાં પણ જન્મવું પડે છે, અને અસહ્ય દુઃખ સહન કરવાં પડે છે. "બોધિ”ની પ્રાપ્તિ નથી થતી. એટલે કે અનેક જન્મોમાં, અસંખ્ય જન્મોમાં સર્વશ શાસનની પ્રાપ્તિ નથી થતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy