SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ અભિમાનથી, તિરસ્કાર ભાવથી જે મનુષ્ય ગુરુવંદના નથી કરતો, તે દીર્ઘકાળ દરમિયાન સંસારમાં ભટકતો રહે છે. ભાગ ગુરુની સાથે તમારો વ્યવહાર કેવો છે ઃ જો તમારા હૃદયમાં ગુરુ પ્રત્યે બહુમાન છે, ભક્તિભાવ છે, તો તમે આ રીતે અવિનય નહીં કરો. તિરસ્કાર નહીં કરો. ગુરુજનો પ્રત્યે તમારો વ્યવહાર ઔચિત્યપૂર્ણ હોવો જોઈએ. કેટલીક મહત્ત્વપૂર્ણ ઔચિત્યપાલનની વાતો બતાવું છું. જો તમે ચાલતી વખતે ગુરુની સાથે ચાલતા હો તો એમની આગળ ન ચાલો. હા, ગુરુને માર્ગ બતાવવાનો હોય તો તમે આગળ ચાલી શકો છો, એ સિવાય નહીં. તમારે ગુરુની પાછળ પાછળ ચાલવું જોઈએ, પરંતુ એકદમ નિકટ નહીં, બેત્રણ ડગલાં પાછળ ચાલવું જોઈએ. # ગુરુના ખભાથી ખભો મેળવીને, મિત્રની જેમ ન ચાલવું જોઈએ. ॥ ગુરુ ઊભા હોય તો તેમની આગળ ઊભા ન રહેવું. # ગુરુ ઊભા રહે તો તેમની પીઠથી થોડા દૂર ઊભા રહેવું. # ગુરુ ઊભા હોય તો તેમની પાસે મિત્રની જેમ ઊભા ન રહેવું. ગુરુની આગળ, એકદમ નજીક બેસવું નહીં. # ગુરુની પાછળ બે-ત્રણ હાથ દૂર બેસવું. # ગુરુની પાસે મિત્રની જેમ ન બેસવું. ॥ ગુરુના આસનને, શય્યાને તમારો ચરણસ્પર્શ ન થવો જોઈએ. ॥ ગુરુના આસન પર, સંસ્તારક ઉપર બેસવું ન જોઈએ, સૂવું ન જોઈએ. ॥ ગુરુ બોલાવે તો જવાબ આપવો જોઈએ. # ગુરુ સાથે કર્કશ ભાષાપ્રયોગ ન કરવો જોઈએ. ખૂબ મોટેથી ન બોલવું. # ગુરુની પાસે જાઓ તો “મત્કણ્ વામિ' કહો. ॥ ગુરુને "શું છે ?" એમ ન પૂછો પરંતુ "મારા યોગ્ય શું આશા છે ?” એવી રીતે પૂછો. ॥ ગુરુને બહુવચનથી સંબોધન કરવું. ગુરુનો ઉપદેશ સાંભળીને “આપે સારો ઉપદેશ આપ્યો,” એવાં પ્રશંસાનાં વાક્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy