SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રાવકજીવન ક્ષમા માગવી જોઈએ. * ત્રીજું પ્રયોજન છે પ્રાયશ્ચિત લેવાનું. પોતાનાં પાપોનું ગુરુ સમક્ષ પ્રકાશન આલોચન કરીને પ્રાયશ્ચિત લેવાનું હોય તો સર્વપ્રથમ વંદન કરવું જોઈએ. * ચોથું પ્રયોજન છે જ્ઞાનપ્રાપ્તિનું. ગુરુ પાસેથી વાચના લેવાની હોય, ગુરુને પ્રશ્ન પૂછવાનો હોય, વિશેષ જ્ઞાન મેળવવું હોય, તો પહેલાં વંદન કરવું જોઈએ. * પાંચમું પ્રયોજન છે પ્રતિક્રમણ પ્રતિક્રમણમાં ગુરુવંદન કરવાનું હોય જ છે. છ આવશ્યકોમાં "વંદન” એક આવશ્યક છે. * છઠું પ્રયોજન છે અનશનનું. અનશન સ્વીકારવા પૂર્વે ગુરુવંદન કરવું પડે છે. ગુરુકૃપા પ્રાપ્ત કરીને અનશન કરવામાં આવે છે. * સાતમું અને આઠમું પ્રયોજન અમારા સાધુ-સાધ્વીઓ માટે હોય છે. અમારે ત્યાં મેહમાન-અતિથિ સાધુ આવ્યા હોય તો અમારે “અલ્યાણ યામિ” બોલીને વંદન કરવાનું હોય છે અને યોગોદ્વહનની ક્રિયામાં વંદન કરવામાં આવે વંદન ક્યારે કરવું જોઈએ? આ બધાં વંદન કરવાનાં પ્રયોજન છે, પરંતુ વંદન કરતી વખતે દેશ અને કાળ જોવા જોઈએ. કયા સમયે વંદન કરવું જોઈએ, કયા સમયે ન કરવું જોઈએ, એ વાતનો વિવેક હોવો જોઈએ. કઈ જગાએ વંદન કરવું જોઈએ, કઈ જગાએ ન કરવું જોઈએ, એ વિવેક પણ હોવો જોઈએ. - જે સમયે ગુરુ શાન્ત બેઠા હોય, - પોતાના આસન ઉપર બેઠા હોય, - અપ્રમત્ત હોય અને – વંદનનો પ્રત્યુત્તર આપવા તત્પર હોય ત્યારે વંદન કરવું જોઈએ. જે સમયે ગુરુદેવ ધર્મચિંતનમાં મગ્ન હોય, ધર્મચર્ચામાં વ્યસ્ત હોય, ધર્મનો ઉપદેશ આપવામાં પ્રવૃત્ત હોય, તે સમયે વંદન ન કરવું જોઈએ. ગુરુદેવ ઊભા હોય, તમારા તરફ લક્ષ્ય ન હોય, એ સમયે વંદન ન કરવું જોઈએ. ગુરુદેવ સૂતા હોય, અથવા રોષમાં હોય, એ સમયે વંદન ન કરવું. સભામાંથી સાધુપુરુષ રોષ કરે ? મહારાજશ્રી ઃ કોઈક વાર રોષ કરવો પડે છે. પ્રેમથી, વાત્સલ્યથી સમજાવવા છતાં પણ તમે લોકો ન સમજતા હો, ન સુધરતા હો ત્યારે રોષ કરવો પડે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy