SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ભાગ - ૨ જાગશે. ભક્તિની ભાવના જાગશે. દર્શન-વંદન કરવાની વૃત્તિ પેદા થશે. એટલા માટે કહું છું કે સાધુપુરુષોમાં ગુણદર્શન કરો. સાધુદર્શનનો અર્થ જ ગુણદર્શન થાય * ૩૬ ગુણોના માધ્યમથી દર્શન કરતા હો, તો આચાર્યને વંદન થાય છે. * ૨૫ ગુણોના માધ્યમથી દર્શન કરતા હો, તો ઉપાધ્યાયને વંદન થાય છે. * ૨૭ ગુણોના માધ્યમથી દર્શન કરતા હો, તો સાધુને વંદન થાય છે ! તો શું આ ગુરુજનોમાં દોષ નથી હોતા ? દોષ હોય છે, પરંત દોષ જોવાના હોતા નથી. ગુરુજનોના દોષ જોવાતા નથી પરંતુ ગુણ જોવાય છે. જ્યાં સુધી જીવ છદ્મસ્થ રહેશે ત્યાં સુધી તેનામાં દોષ રહેવાના જ છે. દર્શન-વંદન દોષોને કરવાનાં નથી. ગુણોને કરવાનાં છે. આપણી કલ્પનામાં સાધુપુરુષ તો "ગુણમૂતિ” જ હોવા જોઈએ. "ગુણમૂર્તિ” સમજીને જ વંદના કરવી જોઈએ. જો તમે દોષ જોવા જશો તો જીવમાં બે-ચાર દોષ નથી, પરંતુ અસંખ્ય અને અનંત છે ! કેટલા દોષ જોશો? તમારી દ્રષ્ટિ જ દોષમય બની જશે! તમારું વંદન ભાવવંદન નહીં રહે, માત્ર શુષ્ક ક્રિયા બની જશે વંદનની ! વંદન કરવું છે તો શુભ મનથી, મધુર વાણીથી અને પવિત્ર કાયાથી કરતા રહો. ગુરુવંદન કેમ કરવાં જોઈએ ગુણવાનોને વંદના કરવાથી આપણામાં પણ એ ગુણ આવે છે. ગુણવાન બનવા માટે જ ગુરુવંદન કરવામાં આવે છે. ગુણવાન પુરુષ સદેવ પૂજનીય હોય છે. એવા પૂજ્ય પુરુષો પાસે જવાનું છે, કંઈક શીખવાનું છે, કંઈક મેળવવાનું છે, વાત કરવાની છે. જે કંઈ કરવાનું છે તે વંદન કરીને કરવાનું છે. ગુરુદેવોને વંદન કરવાનાં એવાં આઠ પ્રમુખ પ્રયોજનો છે. * પહેલું પ્રયોજન છે પચ્ચખ્ખાણ લેવાનું. ગ્રંથકારે લખ્યું છે: “Tદ સગીરે પ્રત્યાક્યાનામવિત્તઃ ” સવારે પ્રતિક્રમણ કરતી વખતે તમે તમારા મનમાં નવકારસી, પોરસી, આયંબિલ, ઉપવાસનું જે કોઈ પચ્ચખ્ખાણ કર્યું હોય તે જ પચ્ચખાણ ગુરુની પાસે જઈને લેવું જોઈએ. ભાવના વધી જાય તો આયંબિલની જગાએ ઉપવાસનું પચ્ચખ્ખાણ કરી શકો છો ! નવકારસીની જગાએ પોરસીનું પચ્ચખ્ખણ કરી શકો છો. પચ્ચખ્ખાણ લેતા પૂર્વે વિધિપૂર્વક ગુરુવંદન કરવું જોઈએ. * બીજું પ્રયોજન છે ક્ષમાયાચનાનું. ગુરુ પ્રત્યે કોઈ અવિનય થઈ ગયો હોય, અપરાધ થઈ ગયો હોય, તો એમની ક્ષમા માગવાની હોય, તો વંદન કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy