SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રાવકજીવન પ્રતિદિન સાધુવંદના કરવી? મંદિરની બહાર નીકળીને જ્યાં સાધુપુરુષો બિરાજતા હોય ત્યાં જઈને તેમને વિધિપૂર્વક વંદન કરો. જો કે ઘણાં ભાઈ-બહેનોને વંદન વિધિપૂર્વક કરવાનું આવડતું નથી. એક ભાઈ - જે અત્યારે અહીં પ્રવચન સાંભળી રહ્યા છે, તે મારી પાસે કાલે આવ્યા હતા. હાથ જોડીને પ્રણામ કરીને તે મારી પાસે બેઠા હતા ! તેમણે કહ્યું હતું: “મને વિધિપૂર્વક ગુરુવંદન કરવાનું આવડતું નથી!” કારણ કે બાલ્યકાળમાં તેઓ પાઠશાળામાં ગયા જ ન હતા ! ન કોઈ સાધુપુરુષનો સંપર્ક રહ્યો હતો ! આજે ૪૦ વર્ષની ઉંમર થવા છતાં પણ તેમને ગુરુવંદનનો વિધિ આવડતો ન હતો! આવા તો અનેક સ્ત્રી-પુરુષો આપણા જૈનસંઘમાં છે. અને એટલા માટે તેઓ વ્યક્તિગત રૂપે પાસે આવતાં શરમાય છે! સાધુ-પરિચયથી વંચિત રહે છે. જ્ઞાની પુરુષો પાસેથી જ્ઞાન પામી શકતા નથી. માત્ર વ્યાખ્યાન સાંભળીને જ સંતોષ માની લે છે. જો કે વ્યાખ્યાન પણ વિધિપૂર્વક વંદન કરીને જ સાંભળવું જોઈએ. પરંતુ કંઈક મોડા આવીને, હાથ જોડીને, પ્રણામ કરીને પાછળ બેસી જાય છે. વિધિપૂર્વક વંદન કરવાની પદ્ધતિ શીખી લેવી જોઈએ. તેનાં માત્ર ત્રણ જ સૂત્રો છે, નાનાં નાના. એક-બે દિવસમાં યાદ કરી શકો છો. આસન અને મુદ્રા તો અડધા કલાકમાં શીખી શકો છો. આમ તો ગુરુવંદન ઊંડાણથી અને ગહનતાથી શીખવું હોય તો તમારે ૨૨ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. “ગુરુવંદન-ભાષ્ય” નામે ગ્રંથનું અધ્યયન અને પરિશીલન કરવું પડશે. સભામાંથી શું આ ગ્રંથ ગુજરાતીમાં છપાયો છે? મહારાજશ્રી ગુજરાતી અને હિન્દી - બંને ભાષાઓમાં છપાયો છે. પાઠશાળામાં મળશે. વાંચજો જરૂર, પરંતુ શીખવું ગુરુજનો પાસેથી. કારણ કે પ્રેકટીકલ કરવાનો છે ને! જેઓ “એક્ષપર્ટ હશે તેઓ જ શીખવશે. સદ્ગુરુને ભાવથી વંદન કરવાં? શીખવું અને ભાવથી વંદન કરવું. ક્રિયા શીખવી શકાય છે, પણ ભાવ સ્વયંભૂ હોવો જોઈએ. ભાવ એ શીખવવાની બાબત નથી. સદ્ગુરુ પ્રત્યે સ્વયંભૂ શુભ ભાવ હોવો જોઈએ. ગુણદર્શનથી શુભ ભાવ પ્રગટ થઈ જાય છે. દોષદર્શનથી અશુભ ભાવ પેદા થાય છે. એટલા માટે આજે તો મારે પ્રથમ વાત ગુણદર્શનની કરવી સદ્ગુરુમાં, સાધુપુરુષોમાં ગુણદર્શન કરીશું તો તેમના પ્રત્યે પ્રીતિનો ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy