SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રાવકજીવન છે! નીવી કર્યા પછી પણ એક-બે કલાક આરામ કરી લે છે. રાત્રિમાં પણ ૭૮ કલાક ઊંઘ લઈ લે છે. આ ચાર મુખ્ય વિકૃતિઓ છે. તે દૂર કરી નાખવામાં આવે તો આ તપશ્ચય વાસ્તવમાં મનુષ્યનું ઊર્ધીકરણ કરી શકે છે. તપશ્ચર્યાનું સાચું ફળ તેને મળી શકે ઉપસંહાર : સામુદાયિક ધર્મક્રિયાઓ તરફ આધુનિક શિક્ષિત સ્ત્રી-પુરુષોનું આકર્ષણ વધી શકે, જો વિકૃતિઓ દૂર થઈ જાય તો. સમુદાયમાં જિનભવનમાં જવાની વાત કરવામાં આવી છે, તે મહત્ત્વપૂર્ણ છે. માત્ર "શો” કરવાનો નથી. આપણા ભાવોલ્લાસને વધારવા માટે આ વિધાન છે, વાત છે. આપણાં પુણ્યકર્મોને તીવ્રતાથી બાંધવા માટે આ વિધાન છે. પોતાના પરિવારના માણસોને પ્રેમથી સમજાવો : "પ્રતિદિન આપણે દેહશુદ્ધિ કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જિનભવન જઈએ. ખૂબ આનંદ આવશે. આપણો સ્નેહ પણ પરસ્પર પ્રગાઢ બનશે. તમે લોકો સવારે ૫-૬ વાગે નિદ્રાનો ત્યાગ કરો તો આપણે સાથે જિનભવન જઈ શકીએ. સાથે દર્શન-પૂજન કરી શકીએ.” તમારા પુણ્યનો ઉદય હશે, તો તમારી વાત ઘરના માણસો માનશે. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy