SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ વ્યાખ્યાનમાં જોયા નહીં શું ગામમાં ન હતા?” તેમણે જવાબ આપ્યો “હું ગામમાં જ હતો, પરંતુ પર્યુષણ-પર્વમાં ઉપાશ્રયમાં નથી આવતો. કારણ કે ઘણી ભીડ હોય છે, શોરબકોર હોય છે, પ્રવચન સંભળાતું નથી.” આવા અનેક લોકો છે કે જેઓ પર્યુષણમાં પ્રવચન સાંભળવા ઉપાશ્રયમાં આવતા નથી. જ્યાં કોઈ હોલમાં કોઈ વિદ્વાનનું પ્રવચન હોય છે તો ત્યાં સાંભળવા ચાલ્યા જાય છે. ત્યાં તેમને " કલ્પસૂત્ર” જેવો પવિત્ર ગ્રંથ સાંભળવા મળતો નથી. એટલા માટે ધર્મસ્થાનોમાં શાન્તિ રાખવી ખૂબ આવશ્યક છે. – એક મહત્ત્વપૂર્ણ સામુદાયિક ધર્મક્રિયાની વાત કરીને પ્રવચન પૂર્ણ કરીશ. આપણા જૈનસંઘોમાં ઉપધાન તપની સામુદાયિક ધર્મ-આરાધના થાય છે. અંતિમ સમયમાં ૨૦-૨૫ વર્ષથી ઠેર ઠેર, નગર-નગરમાં ઉપધાન તપની આરાધના થાય છે. ધીરે ધીરે આ આરાધનામાં અનેક વિકૃતિઓ પ્રવેશી ગઈ જો કે આ તપ સરળ નથી, કઠિન છે. ૪૭ દિવસની તપશ્ચયીમાં સ્નાન કરવાનું હોતું નથી. કપડાં ધોવાનાં હોતાં નથી. બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. કોઈ ધંધો કરવાનો હોતો નથી. પૌષધવ્રતમાં રહેવાનું હોય છે. પરંતુ જે જે દિવસે નવી (એકાસણું) કરવાની હોય છે, તે દિવસે ખાવા-પીવાની જ વાતો મુખ્ય હોય છે. કેટકેટલી મિઠાઈઓ બને છે અને કેટકેટલી બીજી વસ્તુઓ બને છે? નીવીમાં ૨૫-૩૦ વસ્તુઓ બને છે. સ્વાદવૃત્તિ પ્રબળ બની જાય છે. એટલા માટે પ્રથમ વાત તો એ છે કે નીવીમાં "દ્રવ્ય સંક્ષેપ” કરવો આવશ્યક છે. એટલે કે વધારેમાં વધારે ૧૦-૧૫ વસ્તુઓ જ બનવી જોઈએ. બીજી વાત છે ભાષા સમિતિની બોલવાની, વાતો કરવાની મયદા બાંધવી જોઈએ. ઉપવાસના દિવસે, સ્નેહી-સ્વજન-મિત્ર મળવા આવે છે ઉપધાનના તપસ્વીઓને. બે-ત્રણ કલાક સુધી વાતોનો-સાંસારિક વાતોનો ક્રમ ચાલ્યા કરે છે. શું બોલવું, શું ન બોલવું આનો વિવેક મોટે ભાગે જોવા મળતો નથી. સાવદ્ય-પાપમય વાતો પણ કરી લે છે. ઉપધાનતપ કરાવનારા ગુરુ-સાધુપુરુષ મના કરે છે, છતાં પણ ગુવજ્ઞાની ઉપેક્ષા કરીને વાતો કરે છે. ત્રીજી વાત છે પ્રલોભનની. લોકો જુએ છે, "ઉપધાન કોણ કરાવે છે? પ્રભાવના ક્યાં વધારે મળી શકે તેમ છે !” એટલે કે પ્રલોભનથી ઉપધાનની સંખ્યા વધી જાય છે અને ઉપધાનમાં પ્રવેશ આપવાની યોગ્યતા જોવામાં આવતી નથી. ચોથી વાત છે પ્રમાદની. ઉપવાસ થાય છે, બપોરે એક-બે કલાક સૂઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy