SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ્રવચન : ૩૨ ) પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવી છે. સવારથી સાંજ સુધી શ્રાવક-શ્રાવિકાઓએ શું-શું કરવું જોઈએ - એ વિષયમાં સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે ! • જાગતાં જ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવું. • શારીરિક હાજતોથી મુક્ત થવું સ્નાનાદિથી દેહશુદ્ધિ કરવી. પુષ્પ, ધૂપ, દીપ, અક્ષતાદિથી જિનપ્રતિમાની પૂજા કરવી. ૦ ચૈત્યવંદન કરવું. માતાપિતા વગેરે ગુરુજનોને વંદના કરવી. • પ ન્માણ કરવું. પોતપોતાની આર્થિક સંપત્તિ-શક્તિ અનુસાર સમુદાય સાથે જિનભવને જવું. આટલું કહ્યા પછી જિનભવનમાં વિધિપૂર્વક પ્રવેશ કરવાનું ગ્રંથકારે કહ્યું છેઃ વિધિનાનુપ્રવેશ: ૪ળા બે શબ્દોમાં જ ગ્રંથકારે ઘણી વાતો કહી દીધી છે ! એ વાતોનું વિવેચન કરવા પૂર્વે એક સ્પષ્ટીકરણ કરવા ઈચ્છા રાખું છું. સવારમાં પ્રતિક્રમણનું વિધાન કેમ નહીં? કાલે બપોરે એક ભાઈએ મારી પાસે આવીને પૂછ્યું કે "સવારમાં પ્રતિક્રમણ કરવાનું વિધાન "ધર્મબિંદુ”માં કેમ નથી ?” મેં કહ્યું “ધર્મબિંદુ”માં નથી તેવી રીતે આ જ ગ્રંથકારનો બીજો ગ્રંથ "પંચાશક” છે, તેમાં પણ પ્રતિક્રમણનું વિધાન નથી. ત્યાં પણ પ્રભાતિક કાર્યો બતાવવામાં આવ્યાં છે. પરંતુ બીજા ગ્રંથોમાં સવારમાં પ્રતિક્રમણ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. શ્રાદ્ધવિધિ“નામે ગ્રંથમાં આચાર્યશ્રી રત્નશેખરસૂરિજીએ લખ્યું છે: नवकारेण विषुद्रो सरेइसो सकुलधम्मनियमाई । पडिकमिअ सुई पूइअ गिहे जिणं कुणइ संवरणं ॥५॥ આનો અર્થ છે - નવકાર મંત્રના સ્મરણની સાથે જાગૃત થયેલો શ્રાવક પોતાના કુળધર્મોને નિયમાદિને યાદ કરે છે. પછી પ્રતિક્રમણ કરે છે. તે પછી પવિત્ર થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy