________________
ભાગ - ૧
८७ પંડિતજી અનાગ્રહી હતા. તેમણે આ વાત સાંભળીને પ્રસન્નતા વ્યક્ત કરી અને જ્યારે તેમણે ભ્રષડ્રદર્શન સમુચ્ચય" "સ્પાદ્વાદમંજરી”, “રત્નાકર અવતારિકા” વગેરે ગ્રંથોમાં પ્રસ્તુત બૌદ્ધ વૈદિક વગેરેનાં મંતવ્યો બતાવ્યાં ત્યારે તે ખરેખર આશ્ચર્યમાં પડી ગયા. જેનાચાયોએ અન્ય દર્શનોનું ખંડન અવશ્ય કર્યું છે, પરંતુ પ્રામાણિકતાથી કર્યું છે.
જૈન દર્શનનાં સાધુ-સાધ્વીઓ અન્ય દર્શનોનું અધ્યયન કરે છે. પ્રાયઃ અન્ય કોઈ પણ ધર્મના સાધુઓ જૈન ધર્મના સિદ્ધાન્તોનું અધ્યયન નથી કરતા. ઉપસંહાર
કહેવાનું તાત્પર્ય એ છે કે સદેવ ઉપદેશ આપવો શ્રેયસ્કર છે; એનાથી માત્ર પરોપકાર જ નથી થતો, પરંતુ સ્વોપકાર પણ થાય છે. ટીકાકાર મહર્ષિ કહે છેઃ
“આત્માન હિતોપદેષ્ટાગૃતિ | | હિતવૃષ્ટિથી ઉપદેશ આપનાર ઉપદેશક સ્વયં ઉપર અને બીજા ઉપર અનુગ્રહ કરે છે. ઉપદેશકની “કમ નિર્જરા” તો થાય જ છે. વિશેષમાં તેનું ધર્મવિષયક ચિંતન પણ વધે છે. એટલા માટે આ જગતને પાપોથી મુક્ત કરવા માટે સદૈવ ધર્મોપદેશ કરતા રહેવાનું છે. ધર્મથી જ અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ચારે પુરુષાથમાં ધર્મ જ મુખ્ય પુરુષાર્થ છે, એટલા માટે જ ઉપદેશ આપતા રહેવું એ જગત ઉપર શ્રેષ્ઠ ઉપકાર છે. આજ બસ, આટલું જ.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org