________________
પ્રવચન : ૯
પરમકૃપાનિધિ મહાનશ્રતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત "ધમબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ ધર્મનો વિશેષ ધર્મ નિરૂપે છે. બાર વ્રતમાં વિશેષ ધર્મ બતાવતા પહેલાં તેઓ કહે છે કે ધર્મજિજ્ઞાસાથી જે કોઈ મહાનુભાવ ગુરુ પાસે આવે તો ગુરુએ સર્વ પ્રથમ એને સાધુધર્મનો રસપૂર્ણ ઉપદેશ આપવો! વિસ્તારપૂર્વક સાધુધર્મની વિવેચના કરીને મનુષ્ય જીવનમાં સાધુધર્મની જ આરાધના કરવી જોઈએ” એવો ભાવ શ્રોતાના મનમાં ઉત્પન્ન કરવો જોઈએ.
જો ગુરુ પહેલાં સાધુધર્મનો ઉપદેશ ન આપે અને સીધો જ ગૃહસ્થ-ધર્મ-ઉપદેશ આપે તો તેમને જિનાજ્ઞા-ભંગ કરવાનું પાપ લાગે છે. હા, જે વ્યક્તિ સાધુધર્મનો સ્વીકાર અને પાલન કરવામાં સમર્થ ન હોય તેને ગુરુ ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપે
પ્રશ્ન ગુરુદેવ ગૃહસ્થને અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રત સ્વરૂપ ગૃહસ્થ ધર્મ પ્રદાન કરે તો જેટલે અંશે ગૃહસ્થ પાપોનો ત્યાગ કરતો નથી તે પાપોમાં ગુરુદેવને અનુમતિ દોષ શું નથી લાગતો? કારણ કે અણુવ્રતાદિ આંશિક પાપત્યાગરૂપ હોય છે.
ઉત્તર - ગુરુ મહારાજને દોષ લાગતો નથી. ગ્રંથકાર સ્વયં પ્રશ્નના સમાધાન અંગે કહે છે.
भगवद्वचप्रामाण्यादुपस्थितदाने दोषाभावः । "ઉપાસક દશા” વગેરે આગમોમાં આપણે વાંચીએ છીએ કે શ્રમણ ભગવાન મહાવીરદેવે સ્વયં આનંદ વગેરે શ્રાવકોને અણુવ્રતાદિ આપ્યાં હતાં ! તો શું જે અંશોમાં તે શ્રાવકોએ પાપત્યાગ કર્યો ન હતો તેમાં ભગવાનને પણ અનુમતિદોષ લાગ્યો ? ના, ભગવાન જે કંઈ કરે છે તે સવાંગસુંદર હોય છે, દોષરહિત હોય છે. એટલા માટે અમને પણ અણુવ્રતાદિ ગૃહસ્વધર્મ આપવામાં પાપ-અનુમતિનો દોષ લાગતો નથી. જેટલા અંશોમાં ગૃહસ્થ પાપોનો ત્યાગ કરતો નથી, તેટલા અંશોમાં અમારી અનુમતિ હોતી નથી કે “ભલે તે પાપ કરતો રહે...પાપ કરીને ય તે સુખી તો રહે છે ને ” એવો વિચાર અમે કરતા નથી. અણુવ્રત વગેરે વ્રતો આપતી વખતે તો અમે એમ વિચારીએ છીએ કે "બિચારો સર્વ પાપોનો ત્યાગ કરીને સાધુધર્મનો સ્વીકાર તો નથી કરી શકતો, તો ભલે અણુવ્રતાદિ ગ્રહણ કરે....હવે તેનો વીલ્લાસ વધશે, તે મહાવ્રતો પણ સ્વીકારશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org