________________
ભાગ
૮૩
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મહિમા બતાવતાં મુનિરાજે કહ્યું : "જે કોઈ ભગવાન પાર્શ્વનાથને શરણે જાય છે તેનાં દુઃખ દૂર થઈ જાય છે, તેની અશાંતિ દૂર થઈ જાય છે.”
-
૧
એ યુવકના મનમાં આ વાત સ્પર્શી ગઈ, તેણે તેના મનમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું શરણ સ્વીકારી લીધું. અને મનોમન પ્રાર્થના કરી કે .....”હે ભગવાન્ મને નોકરી મળી જશે તો હું તરત જ તારાં દર્શન કરવા આવીશ અને અક્રમનું તપ કરીશ. પ્રભુ, તું જ મારું શરણ છે.”
બીજા જ દિવસે એને નોકરી મળી ગઈ, સારી નોકરી મળી ગઈ. તે શંખેશ્વરજી ગયો, અઠ્ઠમ તપ કર્યું અને પાછળથી તે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો અનન્ય આરાધક બની ગયો.
એક દિવસ એ યુવક મુંબઈમાં એક આચાર્યશ્રીના પ્રવચનમાં ગયો; ત્યાં તેણે સાંભળ્યું ઃ "સંસારના આશયથી કરેલો ધર્મ, અધર્મથી – પાપથી પણ વધારે ખરાબ છે. એ ધર્મ જીવને જનમોજનમ સંસારમાં ભટકાવે છે !” તે યુવક તો સ્તબ્ધ થઈ ગયો. તેના મનમાં દ્વિધા પેદા થઈ ગઈ. તેણે પોતાના મિત્રને વાત કરી. તેના એ મિત્ર મારા પરિચિત શ્રાવક છે, તે એને મારી પાસે લઈ આવ્યો. મેં સમગ્ર વાત સાંભળી. મને ઘણું આશ્ચર્ય થયું ! હર વાતમાં શાસ્ત્ર અને શાસ્ત્રની વાત કરનારા.....પ્રૌઢ અને પ્રભાવશાળી આચાર્યશ્રીએ શું "લલિતવિસ્તરા”, “પંચાશક”, "શ્રાદ્ધદિનકૃત્ય", "ધર્મસંગ્રહ”, “પ્રશ્ન ચિંતામણિ", "શોડષક", "પુષ્પમાલા", "ઉત્તરા ધ્યયનસૂત્ર", "શ્રાદ્ધ વિધિ", "ઉપદેશતરંગિણી", "યોગબિંદુ" વગેરે ગ્રંથોનું અવગાહન નહીં કર્યું હોય ?
જૈન શાસ્ત્રકાર બાલ-મુગ્ધ જીવોને ઇહલૌકિક સુખો માટે જિનોક્ત ધર્મ કરવાનો નિષેધ કરતા જ નથી. કારણ કે ધર્મપ્રવૃત્તિથી પાપપ્રવૃત્તિ દૂર થાય છે, અને મનુષ્યના જીવનમાં અરિહંત પરમાત્મા આરાધ્ય બને છે. સાંસારિક પ્રયોજનવાળું, લૌકિક આશયવાળું, પણ ધર્માનુષ્ઠાન મોક્ષ પ્રતિ દ્વેષ ન હોવાથી સદનુષ્ઠાનનું કારણ બને છે. આગળ વધીને તે મોક્ષ માર્ગનો આરાધક બની જાય છે. ધર્મ આરાધનાનું પ્રયોજન ભલે ને જીવનનિર્વાહ હોય યા તો સંસારસુખની લાલસા હોય પણ એ બધા માટે ધર્મ જ ઉપાદેય છે.
ઐહિક પ્રયોજન સિદ્ધ થતાં જીવાત્મા આર્તધ્યાનથી એટલે કે અસમાધિથી બચી જાય છે. આગળ વધતાં શુદ્ધ મોક્ષમાર્ગના આશયવાળો ધર્મ આચરીને તે મુકિતનું સુખ પણ પ્રાપ્ત કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org