________________
ભાગ - ૧
૭૭ ગૃહસ્થ ધર્મનો ઉપદેશ ન આપે તો પણ દોષ !
સાધુધર્મનો ઉપદેશ આપ્યો કોઈ ભવ્ય આત્માને, પરંતુ તે મનુષ્ય સાધુધર્મ સ્વીકારવામાં તત્પર ન થયો. ઉપદેશક વિચારે કે "આ તો કાયર પુરુષ છે, આટલો આટલો મેં સાધુ ધર્મ સમજાવ્યો.....છતાં પણ કાયરતાની વાત જતી નથી...છટૂ.....જવા દો; એને અણુવ્રતાદિનો ઉપદેશ શું આપવો? નથી આપવો એને અણવ્રતાદિનો ઉપદેશ..... આ પ્રમાણે જે ધર્મગુરુ ઉપદેશ ન આપે તો તે જિનાજ્ઞાનો ભંગ કરે છે. પરમાત્માના ધર્મશાસનનો નાશ કરનારો બને છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે યા તો સાધુધર્મનો ઉપદેશ આપવામાં આવે અથવા ગૃહસ્થધર્મનો ઉપદેશ આપવામાં આવે, યોગ્યતા જોઈને ઉપદેશ આપવો જોઈએ. ઉપદેશક ગુરુમાં પોતાની પાસે આવનાર ધર્મ જિજ્ઞાસુની યોગ્યતા પારખવાની દૃષ્ટિ હોવી અનિવાર્ય છે.
સભામાંથી - આપની પાસે આવનાર મનુષ્ય સાધુધર્મનો જેવી રીતે સ્વીકાર કરવા તત્પર નથી હોતો એ રીતે જ જો ગૃહસ્થધર્મરૂપ અણુવ્રતાદિ ગ્રહણ કરવા ય તત્પર નથી થતો તો શું આપને દોષ લાગે ખરો ?
મહારાજશ્રી:- ના, અમારું કર્તવ્ય તો વિધિવત ઉપદેશ આપવાનું છે. ઉપદેશ આપવા છતાં પણ કોઈ મનુષ્ય ધર્મ (સાધુધર્મ યા ગૃહસ્થધમી ગ્રહણ નથી કરી શકતો તો અમને કોઈ દોષ લાગતો નથી. અમે વિધિવત્ ઉપદેશ ન આપીએ અને અમારી પાસે આવનાર વ્યક્તિ ધર્મથી વંચિત રહી જાય તો અમને દોષ લાગે.
અમે સાધુધર્મનો ઉપદેશ ન આપીએ અને સાધુધર્મપાલન કરવાની શક્તિ હોવા છતાં પણ સાધુ ધર્મથી જીવ વંચિત રહી જાય છે તો, અને
ગૃહસ્થ ધર્મનું પાલન કરવાની શક્તિ હોવા છતાં પણ એ જીવને અમે ગૃહસ્થધર્મનો ઉપદેશ ન આપીએ અને તે ગૃહસ્થધર્મથી વંચિત રહી જાય......તો ધર્મોપદેશક ગુરુને જિનાજ્ઞાનો ભંગ કરવાનો દોષ લાગે છે.
આ વિષયમાં “જિનાજ્ઞા” શું છે એ આગળ ઉપર બતાવીશ. આજ બસ, આટલું જ.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org