________________
وو
શ્રાવક જીવન પરંતુ અણુવ્રતાદિનો ઉપદેશ આપવો જોઈએ.
ભવ્ય અને ભવભીરુ જીવને ચારિત્રધર્મનો ઉપદેશ ન આપતાં જો અણુવ્રતાદિ ગૃહસ્થધર્મનો ઉપદેશ આપવામાં આવે અને એ માણસ અણુવ્રતાદિ સ્વીકાર કરી લે તો ઉપદેશક ગુરુને એક બીજે દોષ લાગે છે, સાવધ અનુમતિનો ! ગ્રંથકાર આચાર્યદેવે કહ્યું છે - અનુમતિવેતરત્ર ઘણી સમજવા જેવી છે. આ વાત. બીજો દોષ લાગે છે – “પાપમાં અનુમતિનો.”
સાધુધર્મનો સ્વીકાર કરવાની શક્તિ હોવા છતાં પણ ગુરુના ઉપદેશથી જેણે ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો હોય તે ગૃહસ્થ જીવનમાં જે જે પાપ કરશે તે પાપોમાં એ ગુરુની અનુમતિ થઈ જાય છે! કારણ કે સર્વપાપોના ત્યાગ રૂપ સાધુધર્મનો ઉપદેશ આપવાનો હતો અને તેને સાધુ બનાવવાનો હતો તે ન બનાવ્યો. જેટલા. પાપોનો તેણે ત્યાગ કર્યો (બાર વ્રતો સ્વીકારીને) તેટલા અંશમાં બચી ગયો, અને જે પાપોનો ત્યાગ ન કર્યો તે પાપોમાં ગુરુની અનુમતિ થઈ ગઈ! કારણ કે ગુરુએ તેને ઉપદેશ નથી આપ્યો.
હવે કહો, તમારા જેવા ભવ્ય અને ભવભીરુ જીવોને હું સાધુધર્મનો જ ઉપદેશ આપું ને? નિષ્પાપ સાધુજીવનની વાતો સાંભળવામાં તમને આનંદ આવશે ને?
સભામાંથી - અમારામાંથી કોઈ વ્યક્તિગત રીતે આપની પાસે ધર્મ પામવા માટે આવે તો આપ સાધુધર્મનો ઉપદેશ આપો ! અહીં તો અમને સાચા મનુષ્ય બનવાનો ઉપદેશ આપો.
મહારાજશ્રી -મારે પણ તમારી ઈચ્છા-જિજ્ઞાસા જાણીને જ ઉપદેશ આપવાનો છે. હું પણ ઇચ્છું કે તમે સાચા મનુષ્યો બનો, સાચા શ્રાવક બનો અને પછી સાધુ બનો. છતાં પણ મને વિશ્વાસ છે કે તમને લોકોને પ્રાયઃ સાધુધર્મની વાતો પ્રિય લાગશે. આપણે કોઈ કોઈ વાર આ વાતો કરીશું.
સાધુધર્મની આવી વાતો સાંભળીને કોઈક વાર તો ડાકુ પણ સાધુ બની ગયા છે. હા, કોઈક વાર માનવતા અને સાધુતા – બંને સાથે સાથે આવી જાય છે માનવના જીવનમાં. એટલા માટે ઉપદેશક સાધુપુરુષે ઉપદેશ આપવામાં સાવધાનીપૂર્વક વર્તવાની જરૂર છે.
ત્રીજી એક વાત ગ્રંથકાર મહાત્મા બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org