________________
૭પ
ભાગ - ૧ આટલી ઈચ્છા રાખે છે? આ ઈચ્છા તો સંસારમાં ભટકાવનારી હોય છે.....છોડી દે આ ઈચ્છા અને મોક્ષની ઇચ્છા કર."
સંભવ છે કે આવો ઉપદેશ આપવાથી સિદ્ધરાજને આચાર્યદેવ ઉપર શંકા આવત કે "આચાર્યો તો મારા ઉપર એવો મંત્ર પ્રયોગ નહીં કર્યો હોયને કે જેથી હું નિઃસંતાન રહું? એ વગર મને આવો ઉપદેશ શા માટે આપે? એ કુમારપાળના પક્ષમાં તો નહીં હોયને?” આવા વિકલ્પો થઈ શક્યા હોત.
મહાન આચાર્ય દીર્ઘદ્રષ્ટિવાળા હોય છે. સર્વતોમુખી પ્રતિભાના સ્વામી હોય છે. દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાથી વિચારનારા હોય છે. તેમનો અભિગમ જિનાજ્ઞાનુસારી હોય છે. પહેલો ઉપદેશ સાધુ ધર્મનો અન્યથા “અન્તરાયદોષ” :
ગ્રંથકાર આચાર્યદિવ કહે છે કે સમકિતવૃષ્ટિ જીવને પહેલો ઉપદેશ સાધુધર્મનો આપવો જોઈએ. ભવ્ય અને ભવભીરુ જીવને સાધુ ધર્મ પસંદ આવી શકે છે. શક્તિ સામર્થ્ય હોવાથી તે સાધુધર્મ સ્વીકારી પણ શકે છે. આવા જીવને જે સાધુધર્મનો ઉપદેશ ન આપતાં સીધો જ ગૃહસ્થધર્મ એટલે કે અણુવ્રતાદિનો ઉપદેશ આપવાથી એ ભવ્ય જીવની ચારિત્રધર્મની આરાધનામાં અંતરાય કરવાનું વિઘ્ન નાખવાનું પાપ ગુરુને લાગે છે. અને આ રીતે અંતરાય કરવાથી ભવાન્તરમાં ચારિત્રધર્મ પ્રાપ્ત થવો દુલર્ભ થઈ જાય છે ! ગ્રંથકારે કહ્યું છે :
સદિorો પ્રયોડોરીયઃ | "સહિષ્ણુ” નો અર્થ છે સમર્થ. જે સાધુધર્મ એટલે ચારિત્રધર્મની આરાધના કરવા માટે સમર્થ છે, તેને અણુવ્રતાદિ આપવામાં (કો) ચારિત્રધર્મની આરાધનામાં અંતરાય થાય છે.
ધર્મના ઉપદેશકો માટે આ મહત્ત્વપૂર્ણ નિર્દેશ છે. વ્યક્તિની યોગ્યતા જોઈને જ ઉપદેશ આપવાનો છે. પરંતુ આ વાત વ્યક્તિગત ઉપદેશની છે. માની લો કે મારી પાસે કોઈ મુમુક્ષુ જીવ આવ્યો. મને લાગ્યું કે આ જીવ ભવ્ય છે, ભવભીરુ છે. તો મારે સૌ પ્રથમ તો તેને સાધુધર્મનો ઉપદેશ આપવો જોઈએ. વિસ્તારથી સાધુધર્મ સમજાવવો જોઈએ. સમાવવા છતાં પણ જે તે સાધુધર્મનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દે તો પછી તેને અણુવ્રતાદિનો ઉપદેશ આપવો જોઈએ.
કોઈ એવી ઘમજિજ્ઞાસુ વ્યક્તિ આવે કે જેમાં મને પાપભીરુતા જેવી કોઈ મૌલિક યોગ્યતા દેખાતી ન હોય તો મારે એને સાધુધર્મનો ઉપદેશ ન આપવો જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org