SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રાવક જીવન પાસેથી જાણવા માગતો હતો કે તેને પુત્ર થશે કે નહીં ? અને જો મારા ભાગ્યમાં પુત્ર ન હોય તો મારા મરણ પછી ગુજરાતનો રાજા કોણ થશે ? દેવી પાસેથી પ્રત્યુત્તર પામવા માટે સાધના કરવી પડે છે. ઉચ્ચકોટિનો આત્મા જો સાધના કરે તો સિદ્ધિ શીઘ્ર મળે છે. આથી સિદ્ધરાજે આચાર્યદેવને વિનંતી કરીઃ "ગુરુદેવ, મારી પાસે રાજ્ય, રત્ન, સુવર્ણ, હાથી, ઘોડા.....બધું જ છે. પરંતુ એક મોટી ખામી છે.....પુત્ર નથી......આપ મારી ઉપર કૃપા કરીને આ દેવીને પ્રત્યક્ષ કરીને પૂછી લો કે મારા ભાગ્યમાં પુત્રસુખ છે કે નહીં ? અને મારા મૃત્યુ પછી ગુજરાતનો રાજા કોણ બનશે ?” રાજાની વિનમ્ર વિનંતીને માન્ય રાખીને આચાર્યદેવે ત્રણ ઉપવાસ કરીને દેવી અંબિકાની સાધના કરી. દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું : "રાજાના ભાગ્યમાં પુત્ર નથી, તેના મૃત્યુ પછી ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ રાજા બનશે, અને તે સંપ્રતિ રાજાની જેમ જૈનધર્મનો વ્યાપક પ્રચાર કરશે.” આચાર્યદેવે પ્રાતઃ કાળે રાજાને દેવીનો પ્રત્યુત્તર સંભળાવ્યો. રાજા ખૂબ દુઃખી, નિરાશ થયો, વિષાદ-પૂર્ણ થઈ ગયો. અને તેણે ગુરુદેવની સાથે ત્યાંથી પાટણ તરફ પ્રયાણ કર્યું. પૂજ્ય આચાર્યદેવનો જિનાજ્ઞાનુસારી અભિગમ ઃ સિદ્ધરાજની વિનંતીથી આચાર્યદેવે અઠ્ઠમતપની આરાધના કરીને દેવી અંબિકાને પ્રસન્ન કર્યાં. દેવી પાસેથી પ્રશ્નના ઉત્તરો મેળવીને રાજાની જિજ્ઞાસા પૂર્ણ કરી. આ ઘટનાના સંદર્ભમાં આપણે ઊંડાણમાં જઇને વિચારીએ. સર્વ પ્રથમ આપણને કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ પ્રતિ શ્રદ્ધા અને તેમની જિનાજ્ઞાપ્રતિબદ્ધતા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બીજી વાત "આ આચાર્ય નિસ્પૃહી અને સ્પષ્ટતાભાષી હતા” એ વાત ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ. તેઓ રાજાઓની ચાપલૂસી કરનારા ન હતા એ વાત નિર્વિવાદ છે. તેઓ રાજાઓના માધ્યમ દ્વારા સર્વજ્ઞભાષિત ધર્મનો દેશ-વિદેશમાં પ્રચાર કરવા ઈચ્છતા હતા. આ એમનો મૌલિક દૃષ્ટિકોણ હતો. રાજાની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમણે અઠ્ઠમ તપ કર્યું. એમનો આશય સ્પષ્ટ છે : “જો હું રાજાની ઈચ્છા પૂર્ણ કરું તો એનો મારા પ્રત્યે વિશ્વાસ દૃઢ થશે અને મારાં વચનો ઉપર વિશ્વાસ બેસશે. એનાથી તેનું આત્મકલ્યાણ સધાશે. તે ધર્મમાર્ગ ઉપર ચાલતો રહેશે. આચાર્યદેવે એ પણ કહ્યું નથી કે ઃ “સિદ્ધરાજ, શા માટે પુત્રની :: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy