________________
ભાગ
૭૩
બીજા પુરુષનું વીર્ય પ્રક્ષિપ્ત કરીને ગર્ભાધાન કરાવવામાં આવત.....આવો કોઈ અનૈતિક, કુત્સિત પ્રયોગ રાજા કરાવી લેત.
-
એટલા માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જે મનુષ્યના મનમાં મોક્ષની રુચિ છે, અથવા મોક્ષ પ્રત્યે દ્વેષ નથી; એવા માણસો અર્થ અને કામ માટે પણ ધર્મ ક્રિયા કરી શકે છે. તેમની ધર્મક્રિયા વિષક્રિયા નથી, ગરલ ક્રિયા નથી. તીર્થયાત્રાથી સિદ્ધરાજ શાસનરાગી બન્યો :
આચાર્યદેવ સાથે સિદ્ધરાજ સપરિવાર શત્રુંજય ગિરિરાજ ઉપર પહોંચ્યો. ગિરિરાજનાં દર્શનથી સિદ્ધરાજ રોમાંચિત થઈ ગયો. ગિરિરાજ ઉપ૨ જઈને તેણે ભગવાન ઋષભદેવનાં દર્શન કર્યાં. તેના હૃદયમાં અપૂર્વ ભક્તિભાવ ઉત્પન્ન થયો. આચાર્યદેવે ત્યાં નૂતન કાવ્ય રચના કરીને દેવાધિદેવની અદ્ભુત સ્તવના-પ્રાર્થના કરી.
ત્યાં ભગવાન ઋષભદેવનો અદ્ભુત મહિમા જોઈને સિદ્ધરાજ જિનશાસનનો પરમ ભક્ત બની ગયો. તેણે વિચાર્યું : "આવા ઉત્તમ તીર્થમાં જો માણસ પે નાની સંપત્તિનો વ્યય નથી કરતો તો તે દેવગતિ કેવી રીતે પામી શકે ?”
તેણે ભગવાન ઋષભદેવની પૂજા નિમિત્તે બાર ગામ ભેટ ધરી દીધાં ! સર્વ યાત્રીઓ માટે સદાવ્રત શરૂ કરાવી દીધાં. લોકોને પુષ્કળ દાન આપીને દારિદ્ર દૂર કરી દીધું !
ઘણા ઉલ્લાસથી યાત્રા પૂર્ણ કરી અને ત્યાંથી ગિરનારની યાત્રા માટે પ્રયાણ કર્યું. ગિરનારના પહાડ ઉપર જઈને બધાંએ ભગવાન નેમનાથનાં દર્શન કર્યાં. દર્શન-પૂજન કરીને રાજા હર્ષવિભોર બની ગયો. શ્રી હેમચંદ્ર સૂરીશ્વરે નૂતન કાવ્યોની રચના કરીને પ્રભુની પ્રાર્થનાસ્તવના કરી.
આ બે તીર્થોની યાત્રાથી સિદ્ધરાજ જિનધર્મ પ્રત્યે વધારે શ્રદ્ધાવાળો થયો. સિદ્ધરાજની ઈચ્છાપૂર્તિ હેતુ આચાર્યશ્રી અક્રમનો તપ કરે છે !
બે તીર્થોની યાત્રા કરીને સિદ્ધરાજ વગેરે દેવપત્તન પહોંચ્યા. ત્યાં રાજાએ સોમનાથ ભગવાનનાં દર્શન કર્યાં. ત્યાંથી સપરિવાર તે "કોડીના૨ પહોંચ્યો. કોડીનારમાં વિશ્વમાતાસમાન દેવી અંબિકાનું મંદિર હતું. દેવી અંબિકાનો મહિમા સર્વત્ર ફેલાયેલો હતો. ભક્તજનોની ઇચ્છા પૂર્ણ કરનારી એ દેવી હતી. સિદ્ધરાજના મનમાં પુત્રપ્રાપ્તિની પ્રબળ ઇચ્છા તો પડી જ હતી. તે દેવી અંબિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org