SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ લીધો ! પુત્રપ્રાપ્તિ માટે તીર્થયાત્રા ઃ રાણીએ કેટલું સરસ માર્ગદર્શન આપ્યું ? ”પુત્રનું સુખ પામવું હોય તો ધર્મની આરાધના કરો. ગુરુભક્તિ, તીર્થયાત્રા અને દેવપૂજા કરો !” અને જ્યારે રાજા સિદ્ધરાજે આચાર્યદેવ હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજીને સાથે આવવા પ્રાર્થના કરી તો ગુરુદેવે સ્વીકૃતિ પણ આપી દીધી ! તીર્થયાત્રા પાછળનો ઉદ્દેશ્ય શું ગુરુદેવ નહીં જાણતા હોય ? અવશ્ય જાણતા જ હશે. પરંતુ સાંસારિક સુખો માટે પણ ધર્મ જ કરવાની જિનાજ્ઞા છે. પાપનો નિષેધ છે, ધર્મ કરવાનો જ ઉપદેશ છે, અર્થ અને કામ પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. સુજ્ઞ ગીતાર્થ આચાર્યદેવોએ શાસ્ત્રોમાં ઠેર ઠેર આ પ્રકારના ધર્મનો જ ઉપદેશ આપ્યો છે. સંસારનાં સુખ પામવા માટે ધર્મ ક૨વાનો જ ઉપદેશ આપવામાં આવ્યો છે. સભામાંથી : ધર્મ તો મોક્ષ પામવાના આશયથી જ કરવો જોઈએ ને ? મહારાજશ્રી : તો પછી અર્થ અને કામ (ભોગ સુખ) પામવા માટે પાપ કરવાં જોઈએ ? અર્થ (પૈસા) અને ભોગ સુખ પાપ કરવાથી મળે છે કે ધર્મ આચરવાથી ? એક વાત સ્પષ્ટ સમજી લો કે “મોક્ષ પામવા માટે જ ધર્મ ક૨વો જોઈએ ” એવો ઉપદેશ આપીશું તો જેને મોક્ષનું જ્ઞાન નથી, જેને મોક્ષ પામવાની ઈચ્છા નથી, એવા અજ્ઞાની જીવો એવું સમજશે કે "ધર્મ તો એમને માટે છે કે જેમને મોક્ષ પ્રાપ્ત કરવો છે. આપણને તો મોક્ષથી કોઈ મતલબ નથી......તેથી ધર્મ સાથે શું લેવા દેવા ?” આવા લોકો ધર્મનો માર્ગ છોડીને પાપના માર્ગે ચાલવા લાગશે. શ્રાવક જીવન • જો હેમચંદ્રચાર્યજી સિદ્ધરાજને કહી દેત કે "રાજન્, પુત્ર પ્રાપ્તિ માટે તીર્થયાત્રા ક૨વી ન જોઈએ. પુત્રસુખના ઉદ્દેશ્યથી ગુરુ ભક્તિ ન કરવી જોઈએ. પુત્ર સુખના લક્ષ્યથી દેવપૂજા પણ ન કરવી જોઈએ.” તો સિદ્ધરાજ શું કરત ? અને ગુરુદેવે આવું કેમ કહ્યું નહીં ? પુત્રસુખના ઉદ્દેશ્યથી રાજા તીર્થયાત્રાએ જઈ રહ્યો હતો. એ તીર્થયાત્રામાં હેમચંદ્રાચાર્યજી શા માટે સામેલ થયા ? જો આ પ્રકારની તીર્થયાત્રા જિનાજ્ઞાથી વિપરીત હોત તો એમના જેવા સર્વજ્ઞ સદૃશ આચાર્ય એ તીર્થયાત્રામાં જોડાત જ નહીં. જો રાણી રાજાને પુત્ર પ્રાપ્તિ માટે ધર્મનો માર્ગ ન બતાવત તો અને આચાર્યદેવ પોતાની અનુમતિ ન આપત તો, સંભવ છે કે સિદ્ધરાજ કોઈ માંત્રિક, તાંત્રિક યા કાપાલિકની પાસે જાત અને કોઈક પાપપ્રચૂર પ્રયોગ કરી બેસત. અગર બીજા લગ્ન કરી દેત. અથવા તો વર્તમાન સમયની જેમ પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રીની યોનિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy