________________
ભાગ
૭૧
આપવાની એટલે કે ત્યાગ કરવાની ઈચ્છા પણ થાય છે ને ! તમને ખાવાની ઈચ્છા થાય છે તેમ કોઇક વાર તપ કરવાની ઈચ્છા પણ થાય છે ને ? એ રીતે મનમાં સંસારનાં સુખોની ઈચ્છા અને સાધુધર્મની ઇચ્છા, આ બંને ઇચ્છાઓ એક સાથે મનમાં રહી શકે છે. એક ઇચ્છા કોઈક વાર પ્રબળ બને છે તો બીજી ઇચ્છા મંદ પડી જાય છે. વિષય-સુખ ભોગવવાની ઈચ્છા પ્રબળ બને છે તો સાધુધર્મ સ્વીકારવાની ઈચ્છા મંદ પડે છે. સંસાર સુખોની પ્રબળ ઇચ્છા સાધુધર્મની ઉપાદેયતા સમજવા છતાં પણ જીવને સાધુધર્મ સ્વીકારવાની ઈચ્છા મંદ પડે છે. સંસાર સુખોની પ્રબળ ઇચ્છા સાધુધર્મની ઉપાદેયતા સમજવા છતાં પણ જીવને સાધુધર્મ સ્વીકારતાં રોકે છે.
-
૧
એક પણ વૈયિક સુખની ઈચ્છા જો તીવ્ર બની જાય છે તો સાધુધર્મ જ નહીં, કોઈ પણ ધર્મની આરાધનામાં મન લાગતું નથી. શ્રેષ્ઠ ધર્મ ગુરુધર્મનો સંયોગ મળવા છતાં પણ આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં મન લાગતું નથી.
સિદ્ધરાજની પુત્રપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા :
ગુજરાતનો રાજા સિદ્ધરાજ (વિ.ની અગિયારમી સદી) નિઃસંતાન રહ્યો. વૃદ્ધાવસ્થામાં આ વાતે તે ખૂબ વ્યથિત રહેતો હતો. તેની પટ્ટરાણી પણ ખૂબ દુઃખી હતી. વિશાળ રાજ્ય, વિપુલ સંપત્તિ અને રોગહીન શરીર હોવા છતાં તે દુઃખી હતો. શ્રી હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી જેવા કલિકાલસર્વજ્ઞ જેવાનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું હોવા છતાં તે દુઃખી હતો, વ્યગ્ર રહેતો હતો.
એક દિવસ રાણીએ તેને કહ્યું : “હે નાથ, જે વાત કર્મને આધીન હોય છે તેમાં શોક કરવો નિરર્થક છે. આપણા ઉપર દેવોનો અનુગ્રહ નથી. આપણા ભાગ્યમાં પુત્રસુખ નથી. પૂર્વજન્મમાં એવું પુણ્યકર્મ કર્યું નહીં હોય.....તો પછી એનું ફળ ક્યાંથી મળે ? છતાં પણ પુત્રપ્રાપ્તિ માટે આપ આટલું તો અવશ્ય કરો.
૧. ગુરુજનો પ્રત્યે વધુ ભક્તિભાવ રાખો.
૨. દેવોની દ્વિગુણિત પૂજા કરી.
૩. ઇચ્છિત ફળ આપનારી તીર્થયાત્રાઓ કરો.
આ પ્રમાણેની વિવિધ ધર્મ આરાધનાથી કદાચ પુત્ર પ્રાપ્તિનું સુખ મળી શકે. સિદ્ધરાજને રાણીની વાત પસંદ પડી ગઈ. તેણે તીર્થયાત્રા કરવાનો નિર્ણય કર્યો. તે ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પાસે ગયો અને વિનયપૂર્વક તેમને તીર્થયાત્રા માટે સાથે ચાલવા આમંત્રણ આપ્યું. આચાર્યદેવે એ નિમંત્રણનો સ્વીકાર પણ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org