________________
શ્રાવક જીવન તેણે એક મૂલ્યવાન પેન્ટપીસ બતાવીને જટાશંકરને કહ્યું : "તમારે તો આ પેન્ટપીસ લેવો જોઈએ ! આ સો રૂપિયે મીટરનો પેન્ટપીસ છે!” જટાશંકરે કહ્યું: "જે પેન્ટપીસ મેં લીધો છે તે હવે તમે લેવા ઇચ્છતા હો તો હું દોઢસો રૂપિયે મીટરના ભાવે આપીશ, સમજ્યા ?
સેલ્સમેનને અફસોસ થયો કે, "જો મેં પહેલેથી જ સો રૂપિયે મીટરના ભાવનો પેન્ટપીસ બતાવ્યો હોત તો આ લઈ લેત....” મનુષ્યની એક પ્રકારની આ મનોવૃત્તિ હોય છે.
જ્ઞાની પુરુષોએ મનુષ્યની મનોવૃત્તિને જાણીને આ વિધાન કર્યું છે કે ધર્મના સારા ગ્રાહકને સર્વ પ્રથમ શ્રેષ્ઠ ધર્મ બતાવવો. વિસ્તારથી સાધુધર્મની વિવેચના કરવી. ગ્રાહકના મનને સ્પર્શે એવી વિવેચના કરવી. સાંભળતાં સાંભળતાં સાધુધર્મ સ્વીકારવાની ઈચ્છા જાગવી જોઈએ. હા, સાધુધર્મ સ્વીકારવાની શક્તિ ન હોય અને સ્વીકાર ન કરે એ જુદી વાત છે, સાધુધર્મ સાથે તેનું આકર્ષણ હોવું જોઈએ. સાધુધર્મ સ્વીકારવામાં અશક્તિ કેમ?
સાધુધર્મ સારો લાગે, ઉપાદેય લાગે તો પણ જો કદાચ જીવાત્મા વૈષયિક સુખોની પિપાસાવાળો હોય અને કેશલુંચન પાદવિહાર વગેરે કષ્ટોથી ડરતો હોય તો તે સાધુધર્મ સ્વીકારશે નહીં. ક્ષમા, નમ્રતા, સરળતા આદિ ગુણોનું પાલન કરવાની અશક્તિને કારણે પણ સાધુધર્મ સ્વીકારશે નહીં. સભામાંથી - જે વાત સારી લાગે તેનો સ્વીકાર તો કરવો જ જોઈએ ને?
મહારાજશ્રી - એવો નિયમ નથી. સારું લાગવું યા ખરાબ લાગવું એ મનના ક્ષેત્રની વાત છે. જ્યારે પાલન કરવું માત્ર મનની વાત નથી. મન, વચન અને શરીર ત્રણની વાત છે. સાધુધર્મના પાલનમાં જેવી રીતે મનની દ્રઢતાની જરૂર હોય છે તેવી રીતે તનની, શરીરની દ્રઢતા પણ અપેક્ષિત છે. એવો નિયમ નથી કે જેનું મન દ્રઢ હોય તેનું શરીર પણ દ્રઢ જ હોય, દ્રઢ મનોબળ વાળાઓનાં શરીર કમજોર જોવામાં આવે છે.
બીજી વાત છે મનની. જે મનને સંસારનાં ભૌતિક, વૈષયિક સુખો સારાં લાગે છે તે મન કોક કોક વાર મોક્ષની ઇચ્છા પણ કરે છે ! તે સાધુધર્મને પણ ચાહે
સભામાંથી બે વિરૂદ્ધ ઇચ્છાઓ એક મનમાં રહી શકે છે? મહારાજશ્રી : હા, તમને પૈસા કમાવાની ઈચ્છા થાય છે ને? તેમજ દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org