________________
૬૭
ભાગ - ૧ I પહેલું વ્રત છે – જાણી જોઈને કોઈ નિરપરાધી ત્રસ જીવને ન મારવાનું. માની
લો કે તમારે કોઈ સંતાન નથી અને તમને સંતાનની તીવ્ર ઇચ્છા છે. તમે કોઈ પણ પીર-ફકીર યા દેવી-દેવતાની પાસે ગયા. અને તમને કહેવામાં આવ્યું. "એક પશુનું બલિદાન ચડાવવું પડશે. અમે ચડાવી દઈશું. તમારે પૈસા આપી દેવાના.” જો તમારામાં દ્રઢતા નહીં હોય તો તમે પશુબલિ ચડાવીને વ્રતભંગ
કરી દેશો. - બીજું વ્રત છે અસત્ય ન બોલવાનું – પરંતુ કોઈ સ્નેહીએ યા મિત્રે ખોટી સાક્ષી
આપવાનું દબાણ કર્યું અથવા કોઈકે મોટી લાંચ આપીને આપને જૂઠું બોલવાનું કહ્યું તો ? અથવા તમને ભય લાગ્યો કે – જો હું જૂઠું નહીં બોલું તો આફતમાં
ફસાઈ જઈશ – જો તમારામાં દ્રઢતા નહીં હોય તો તમે વ્રત ભંગ કરશો. - ત્રીજું વ્રત છે ચોરી ન કરવાનું. પરંતુ તમારી સામે એવા સંજોગો ઉપસ્થિત થયા કે જો તમે ચોરી (સ્મગલીંગ) કરો છો તો તમને ત્રણ-ચાર લાખ રૂપિયા મળે
છે....કહો, તમે વ્રતમાં દ્રઢ રીતે ટકી રહેશો ? i ચોથું વ્રત છે સ્વદારસંતોષ અને પરસ્ત્રી ત્યાગનું. માની લો કે તમારી સામે
એવો પ્રસંગ આવ્યો, એકાંતમાં કોઈ સુંદર પરસ્ત્રીએ તમને સંભોગ માટે પ્રાર્થના કરી....... શું તમે વ્રતમાં દ્રઢ રહી શકશો? રૂપ અને સૌંદર્યની લાલચ સામાન્ય નથી હોતી. v પાંચમું વ્રત છે પરિગ્રહ પરિમાણનું. તમે વ્રત લીધું હોય દશ લાખના પરિમાણનું, પુણ્યકર્મના ઉદયથી તમારી પાસે દશ લાખ રૂપિયા આવી ગયા. હજુ પણ બીજા દશ-વીસ લાખ આવી શકે તેમ છે, શું તમે કમાવાનું બંધ કરી શકશો ?
આ તો માત્ર અણુવ્રતો અંગેનાં ભયસ્થાનો બતાવ્યાં. ગુણવ્રત અને શિક્ષાવ્રતો અંગે પણ અનેક ભયસ્થાન છે. જો તમારું સમ્યગદર્શન પકુવ હશે તો જ તમે સારી રીતે વ્રતપાલન કરી શકશો. એટલા માટે સમ્યગ્દર્શનને દ્રઢ રાખવા માટે જાગૃતિ રહેવી જોઈએ. સમ્યગ્ગદર્શન લુપ્ત થવું ન જોઈએ.
આ રીતે શ્રાવક ધર્મનાં બાર વ્રતો આપતા પહેલાં સગુરુ વ્રત લેવા તત્પર થયેલા મહાનુભાવમાં સમ્યગદર્શન છે કે નહીં એ જુએ છે. જો સમ્યગુ દર્શન ન હોય તો પ્રથમ તો સમ્યગ્દર્શન-ગુણ પ્રકટ કરવાનો ઉપદેશ આપે છે, એટલે કે શ્રદ્ધાવાન બનાવે છે.
શ્રદ્ધાવાન-સમકિતવૃષ્ટિબનેલા મનુષ્યને સર્વ પ્રથમ ગુરુએ કેવો ઉપદેશ આપવો જોઈએ એ વાત હવે ગ્રંથકાર આચાર્યશ્રી બતાવશે.
આજ આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org