SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક જીવન સમ્યગ્દર્શનનું મૂળ છે પરમાત્મ-પ્રીતે. અવિહડ પરમાત્મપ્રીતિ હોય તો કોઈ પણ સમ્યગ્દર્શનને હલાવી શકતું નથી. ન કોઈ ભય હલાવી શકે છે કે ન કોઈ લાલચ, ભય અને લાલચ સામે અડગ રાખનાર તત્ત્વ છે પ્રેમ. ન ૬૬ સમકિતવૃષ્ટિ જીવ દુઃખોથી નિર્ભય : સમકિત સૃષ્ટિ પરમાત્મપ્રેમી હોય છે, આથી તેને ૫રમાત્મા-નિર્દેશ્યા કર્મ સિદ્ધાન્ત ઉપર વિશ્વાસ હોય છે. પાપકર્મોના ઉદયથી દુઃખ આવે છે અને પુણ્યકર્મોના ઉદયથી સુખ મળે છે; એ જિનકથિત સિદ્ધાન્ત ઉપર એને શ્રદ્ધા હોય છે. “જો મારાં પુણ્યકર્મનો ઉદય હશે તો કોઈ મને દુઃખી કરી શકશે નહીં, અને જો મારાં પાપકર્મનો ઉદય હશે તો કોઈ મને સુખી કરી શકશે નહીં.” આ સિદ્ધાંતને આત્મસાત્ કરનાર સમકિતવૃષ્ટિ જીવ દુઃખ આવતાં ગભરાતો નથી અને સુખ આવતાં અભિમાન કરતો નથી. એક વાત ન ભૂલો, ગ્રંથકાર મહર્ષિએ પહેલેથી જ કહ્યું છે કે વ્રત ધારણ કરનારાએ સમક્તિ વૃષ્ટિ થવું અનિવાર્ય છે. એટલે જે જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હોય તે જીવ જ વ્રતધારી બની શકે છે. આવો નિયમ કેમ બતાવવામાં આવ્યો ? આવી શરત કેમ રાખી ? શું તમે લોકો કંઈ વિચારો છો ? વ્રતપાલનમાં દૃઢતા જોઇએ. મનનો નિર્બળ માણસ વ્રતપાલન કરી શકતો નથી. મનનો ઢીલો માણસ દુઃખ આવતાં વ્રતનો ભંગ કરી શકે છે. કોઈ સુખની લાલચ આવતાં વ્રતભંગ કરી શકે છે. સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થતાં માણસ દૃઢ બને છે. શ્રદ્ધા જ એની અપૂર્વ શક્તિ હોય છે. આ શક્તિથી જ તે વ્રતપાલનમાં સમર્થ બની શકે છે. ગુજરાતનો રાજ સિદ્ધરાજ મોટી ઉંમરનો હોવા છતાં પણ નિઃસંતાન હતો. રાજારાણીને આ વાતનું દુઃખ હતું. બંનેને પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઝંખના હતી. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સૂરીશ્વરજી જેવા મહાન ગુરુદેવનો એને પરિચય હતો; છતાં પણ સિદ્ધરાજ સોમનાથ મહાદેવ પાસે ગયો હતો ! કોડીનારની અંબાદેવી પાસે પણ ગયો હતો, પુત્ર પ્રાપ્તિની ઝંખના પરિપૂર્ણ કરવા માટે ! કારણ કે સિદ્ધરાજ સમકિત ન હતો. જિનવચનો પ્રત્યે તેના હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા ન હતી. જ્યારે કુમારપાળ સતિવૃષ્ટિ હતો તેથી તો કંટકેશ્વરી દેવીએ ભય બતાવ્યો, ત્રિશૂળ પ્રહાર કર્યો છતાં તેણે દેવીને પશુબલિદાન ન આપ્યું. તે પોતાના વ્રતોના પાલનમાં દૃઢ રહ્યા. પ્રત્યેક વ્રતના પાલનમાં ભય અને લાલચ આવે છે. દૃઢતા વગર વ્રતપાલન થઇ શકતું નથી. સાંભળો, કેટલીક સંભાવનાઓ બતાવું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy