SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૧ ૬૫ ભગવાને કહ્યું "અંબડ, ત્યાં સુલસા શ્રાવિકાને "ધર્મલાભ” કહેજે.” આંબડે નતમસ્તક થઈને આજ્ઞાનો સ્વીકાર કર્યો અને રાજગૃહી તરફ ચાલ્યો; પરંતુ એના મનમાં સુલસા સંબંધી અનેક વિચારો આવવા લાગ્યા. "સુલસા એક સામાન્ય શ્રાવિકા છે. અલબત્ત, એ શ્રીમંત ઘરની છે, વ્રતધારી છે. પરંતુ આવી તો ઘણી શ્રાવિકાઓ છે છતાં પણ સર્વજ્ઞ, વીતરાગ એવા ભગવંતે સુલતાને જ "ધર્મલાભ” કહેવાનું કેમ કહ્યું? સુલતામાં એવી કઈ વિશિષ્ટતા છે કે જેથી તે ભગવાનના દ્દયમાં સ્થાન પામી શકી ? મારે આ વાત શોધી કાઢવી પડશે.” તેણે સુલતાના પરમાત્મ-પ્રેમની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. રાજગૃહીના ચાર નગરદ્વારોની બહાર ચાર રૂપ ધરવાની યોજના વિચારી કાઢી. એક દ્વાર ઉપર તેણે બ્રહ્માનું રૂપ બનાવ્યું. ઇન્દ્રજાલિક હતો ને? નગરમાં બ્રહ્માજીના આગમનની વાત આગની જેમ ફેલાઈ ગઈ. હજારો સ્ત્રી-પુરુષ બ્રહ્માજીનાં દર્શન કરવા આવ્યાં; ન આવી એક સુલતા. બીજા દરવાજા ઉપર અંબડે વિષ્ણુ ભગવાનનું રૂપ બનાવ્યું. નગરમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ. હજારો નર-નારી વિષ્ણુ ભગવાનનાં દર્શન કરવા પહોંચી ગયાં; ન ગઈ એક સુલસા. ત્રીજે દરવાજે અંબડે શંકરનું રૂપ કર્યું. નગરનાં હજારો સ્ત્રી-પુરુષ ભગવાન શંકરનાં દર્શન કરવા ઊમટ્યાં. એક માત્ર સુલસા ન ગઈ. અંબાના દ્ધયમાં સુલતા પ્રતિ નિર્મળ ભક્તિભાવ વધવા લાગ્યો. ચોથે દરવાજે આંબડે પચ્ચીસમા તીર્થંકરનું રૂપ કર્યું. આખાય નગરના લોકો દર્શન કરવા ગયા, પરંતુ સુલસા ન ગઈ ! ત્યારે અંબડને સુલતાના ભવ્ય પરમાત્મ પ્રેમની પ્રતીતિ થઈ. અંબડ વિચારે છે : "વાસ્તવમાં તુલસા શ્રમણ ભગવાન મહાવીરદેવથી જ પરિતૃપ્ત છે, એમના પાવન ચરણોમાં જ સમર્પિત છે, એના હૃયમાં અન્ય કોઈ દેવ દેવીને સ્થાન નથી. તેના મનમાં એક માત્ર વીતરાગ સ્વરૂપની જ ચાહના છે." અને અંબડ પરિવ્રાજક સુલસાને ઘેર પહોંચ્યો અને સુલસાને ભગવાનનો "ધર્મલાભ કહ્યો ત્યારે સુલસા કેવી ભાવવિભોર થઈ ગઈ હશે..કેવાં એનાં રોમેરોમ વિકસ્વર થઈ ગયાં હશે અને આંખોમાંથી કેવાં હર્ષાશ્રુઓ વહેવા લાગ્યાં હશે..... આ બધું જોવા માટે એક માત્ર અંબડ જ ભાગ્યશાળી બન્યો હશે. અને એ જોઈને તેના મનનું પૂર્ણ સમાધાન થયું હશે કે ભગવાને સુલસાને શા માટે ધર્મલાભ કહેવડાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy