________________
શ્રાવક જીવન
૬૪ માત્ર તત્ત્વ સમજવાની ભાવના.
કદી કદી એવું પણ બને છે કે આપણી અલ્પ બુદ્ધિ કોઈ તત્ત્વને યથાર્થ રૂપમાં સમજી શકતી નથી. એ સમયે એવું ન બોલવું કે-“આ મારી વાત સમજમાં આવતી નથી એટલે હું માનતો નથી. હું જે સમજીશ એ જ માનીશ.”
પૂર્ણ પુરુષે બતાવેલી બધી વાતો અપૂર્ણ મનુષ્ય પોતાની અલ્પ બુદ્ધિથી કેવી રીતે સમજી શકે? બીજી વાત –એક વાત આપણે બે દિવસ પહેલાં, બે વર્ષ પહેલાં સમજ્યા ન હતા તે આજ સમજી શકીએ છીએ. બુદ્ધિ કોઈક વાર મંદ તો કોઈક વાર તીવ્ર થતી રહે છે, કારણ કે બુદ્ધિનો આધાર ”મતિજ્ઞાનાવરણ કર્મ"નો ક્ષયોપમ હોય છે. કમનો ક્ષયોપમ સદા એક ધારો રહેતો નથી. કદીક વત્તા ઓછા પ્રમાણમાં રહે છે, એટલા માટે જ્યાં બુદ્ધિ અટકી જાય ત્યાં શ્રદ્ધાનો આશ્રય લો. બુદ્ધિ અને શ્રદ્ધાના આધારે મોક્ષ માર્ગ ઉપર ચાલવાનું છે.
પરમાત્મા જિનેશ્વર દેવના ધર્મશાસનનું તત્ત્વજ્ઞાન ખૂબ ગહન છે. જો એ તત્ત્વજ્ઞાન પામવાની તમન્ના હોય, બુદ્ધિ હોય, સમય હોય અને જ્ઞાની પુરુષનો સંયોગ હોય તો અવશ્ય તત્ત્વજ્ઞાન પામવા પ્રયત્ન કરવો જોઈએ. જેમ જેમ તમે એ તત્ત્વજ્ઞાન પામતા જશો તેમ તેમ જિનેશ્વર ભગવંતો પ્રતિ તમારી શ્રદ્ધા પરિપુષ્ટ થતી જશે. તમે નિઃશંક થઈ જશો. જિનશાસન પ્રત્યે તમારો અહોભાવ વધી જશે. સમ્યગ્રદર્શનનું મૂળ પરમાત્મપ્રીતિ :
જિન શાસનનાં શ્રાવક-શ્રાવિકાઓ જો કે બુદ્ધિશાળી છે. અને પછી તે તત્ત્વજ્ઞાની બની જાય તો? શ્રમણ ગવાન મહાવીરના સમયનાં શ્રાવક શ્રાવિકાઓના વૃત્તાંત આગમ ગ્રંથોમાં વાંચો છો તો એવા તત્ત્વજ્ઞાની શ્રાવક-શ્રાવિકાઓના વૃત્તાંતો જાણવા મળે છે.
આનંદ શ્રાવક, સદાલક...વગેરે શ્રાવકો, અને સુલસા, રેવતી..જયન્તી વગેરે શ્રાવિકાઓ કેવાં તત્ત્વજ્ઞ હતાં? કેવી અપૂર્વ હતી તેમની શ્રદ્ધા અને અભુત. પરમાત્મપ્રીતિ ?
સુલસા શ્રાવિકાની એક ઘટના સંભળાવું છું. ભગવાન મહાવીરદેવ પ્રતિ અનન્ય શ્રદ્ધા રાખનાર એક પરિવ્રાજક (સંન્યાસી) હતો; તેનું નામ હતું અંબડ. અંબડ મહાન ઈન્દ્રજાલિક હતો, વિશિષ્ટ જ્ઞાનનો ધારક હતો. એક વાર તેણે ભગવાનને કહ્યું? – "ભગવંત, હું રાજગૃહી જાઉં છું. મારા લાયક કોઈ સેવા હોય તો કહેવાની કૃપા કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org