SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સમકિતવૃષ્ટિમાં અત્યંત દયા હોય છે ઃ સમકિતવૃષ્ટિ જીવમાં પ્રશમ, સંવેગ અને નિર્વેદ હોય છે, તે રીતે અત્યંત દયા પણ હોય છે. દુઃખી જીવો પ્રત્યે તેનું હૃદય અનુકંપાભર્યું રહેતું હોય છે. શ્રાવક જીવન જો કે આ ગુણ-અનુકંપા તો સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થવા પૂર્વે જ્યારે જીવ "ચરમ પુદ્ગલપરાવર્તકાલ” માં આવે છે ત્યારે પ્રકટ થાય છે, એટલે કે જે જીવનો સંસાર પરિભ્રમણ કાળ માત્ર એક પુદ્ગલપરાવર્ત બાકી રહે છે જે જીવ એક પુદ્ગલપરાવર્તકાળની અંદર અંદર જ મુક્તિ પામનારો હોય છે, તે જીવમાં અત્યંત દયા-અનુકંપા પેદા થાય છે. સભામાંથી ઃ પુદ્ગલપરાવર્તકાળ કોને કહે છે ? મહારાજશ્રી : આ અધ્યયનનો વિષય છે. "કાલ” એક વિશાળ-વિસ્તૃત વિષય છે અધ્યયન માટેનો. એક-બે કલાકમાં આ વિષય સમજાવી શકાય તેમ નથી. “કાલલોકપ્રકાશ” નામે ગ્રંથનું અધ્યયન કરવું પડે એ સમજવા માટે તો. પરંતુ અંતિમ પુદ્ગલપરાવર્ત” એટલે કે મુક્તિમાં જવા માટે એક નિશ્ચિત સમય-મર્યાદા હોય છે. જ્યારે જીવ આ સમય મર્યાદામાં આવી જાય છે ત્યારે તેનામાં અતિ દયાનો ગુણ આવિર્ભાવ પામે છે. જેમ જેમ જીવ મુક્તિની નજીક આવે છે તેમ તેમ દયા-ભાવના વિકસિત થાય છે. જો કે ગૃહસ્થ-મનુષ્યની દયા નિ૨૫રાધી જીવો સુધી જ સીમિત રહે છે. વ્રતધારી શ્રાવકનું પ્રથમ વ્રત પણ – "હું નિરપરાધી ત્રસ જીવોને જાણી જોઈને મારીશ નહીં” એવું હોય છે. છતાં પણ સમકિતવૃષ્ટિ જીવ તો અપરાધી જીવો પ્રત્યે પણ દયાળુ હોય છે. એવું જ્ઞાની પુરુષોએ કહ્યું છે. પોતાનો અપરાધ કરનારાઓ પ્રત્યે પણ તેઓ અશુભ-અકુશળ વિચારતા નથી ! અપરાધીઓના અપરાધોને માફ કરે છે. દુઃખીનાં દુઃખ દૂર કરવાની તેમને તીવ્ર ઇચ્છા હોય છે; કારણ કે તેઓ બીજાનાં દુઃખ જોઈને દુઃખી થાય છે. બીજા જીવોમાં દુઃખ દૂર થવાથી તેઓ સમજે છે કે તેમનાં જ દુઃખ દૂર થઈ ગયાં છે. બીજા જીવોનાં દુઃખો દૂર કરીને તેઓ સુખનો અનુભવ કરે છે. પોતાને સમકિતવૃષ્ટિ માનનારા લોકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ: “મારામાં આ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા છે કે નથી. જો આ ગુણો નથી તો પછી મારામાં “સમ્યગ્દર્શન ગુણ” પ્રકટ થયો નથી ને ?” આવું આત્મસાક્ષિક ચિંતન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy