________________
ભાગ ૧
૬૧
જો કે આ વાત અંતઃકરણની છે, અંદરની છે. તેનું બાહ્યજીવન વિષય-કષાય અને અનેક પાપોથી ભરેલું હોઇ શકે છે, પણ એના અંતઃકરણના ઊંડાણમાં “સંવેગ”ના તરંગો લહેરાતા હોય. એટલે કે સમકિતવૃષ્ટિ જીવનું બાહ્ય અને આંતિરક રૂપ ભિન્ન ભિન્ન હોય છે. તેનું મન મોક્ષમાં હોય છે, તન સંસારમાં હોય છે. તેના વિચાર અને વ્યવહારમાં મોટું અંતર હોય છે. આ જ એના જીવનનો મોટો સંઘર્ષ છે. તે પોતાના વિચારોને વ્યવહારમાં કાર્યાન્વિત કરી શકતો નથી. એ એની એક પ્રકારની વિવશતા છે. આ વિવશતા એને વધુ વિરકત્ બનાવતી જાય છે.
સમકિતવૃષ્ટિ વૈરાગી હોય છે :
-
હા, સમકિતવૃષ્ટિ જીવ ભલે બહારથી રંગરાગી દેખાતો હોય, વિષયવિલાસીભોગી જણાતો હોય, પરંતુ ભીતરમાં તે વિષયવિરાગી હોય છે. વિષય સુખો પ્રત્યે તે હેય દૃષ્ટિથી જુએ છે અને વિચારે છે. જો કે આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થવા પૂર્વે પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે આત્મામાં સહજ વૈરાગ્ય થાય છે, તે જ આત્મા આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે અને સમ્યગ્દર્શનની વિશિષ્ટ ભૂમિકા પ્રાપ્ત કરી શકે છે. વૈરાગ્ય વગર સમ્યગ્દર્શન કેવી રીતે થઇ શકે ? સંસારનાં વૈયિક સુખ હૈય ન લાગે અને મોક્ષનાં સુખ ઉપાદેય ન લાગે, ત્યાં સુધી સમ્યગ્દર્શન કેવી રીતે થાય ? સમ્યગ્દર્શનના પ્રકાશમાં જ આત્મા સમગ્ર સંસારને દુઃખરૂપ અને મોક્ષને સુખરૂપ જોઇ શકે છે.
દુઃખરૂપ સંસાર પ્રત્યે નથી રહેતો રાગ, નથી રહેતી આસક્તિ. એટલે કે સમિકત દૃષ્ટિ જીવના વિચારોમાં વિરક્તિ આવી જાય છે. બાહ્ય જીવનના વ્યવહારમાં રંગરાગ અને ભોગોપભોગ હોઇ શકે છે. વિરાગી જીવ પોતાના રાગદ્વેષ અને મોહને જોઇ શકે છે જોતો રહે છે, અને "મારા આ રાગ-દ્વેષ અને મોહ સારા નથી,. ત્યાજ્ય છે” એવું સમજતો હોય છે. આ જ એનો વૈરાગ્ય છે.
ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી રાજા હોવા છતાં પણ વૈરાગી હતા. વિપુલ કર્મના ઉદયથી ભોગ-ઉપભોગની કોઇ પિરસીમા ન હતી; છતાં પણ તે ભીતરથી અલિપ્ત હતા. તે આત્માના વિશુદ્ધ રૂપના ચાહક હતા. પ્રતિદિન તેઓ એકાંતમાં આત્મચિંતનમાં રમમાણ રહેતા હતા. થોડાક સમય માટે તેઓ આ બાહ્યભૌતિક દુનિયાથી દૂર.....સુદૂર આધ્યાત્મિક દુનિયામાં ચાલ્યા જતા અને ત્યાં અનુપમ આનંદનો અનુભવ કરતા. તેમનો વૈરાગ્ય એમને સદૈવ આત્મભાવમાં જાગ્રત રાખતો હતો. આ વૈરાગ્યે જ એમને દર્પણ ભવનમાં વીતરાગ બનાવી દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org