________________
GO
શ્રાવક જીવન છે. “શરીર જડ છે, આત્મા ચેતન છે” આ વાત સ્પષ્ટ થઈ જાય છે. એનાથી શરીરનું મમત્વ તૂટી જાય છે. શરીરનું મમત્વ તૂટી જતાં શરીરનાં કષ્ટો સહન કરવાં સરળ બની જાય છે. અને કષ્ટ સરળતાથી સહન કરી શકાય છે ત્યારે તત્ત્વ ચિંતન કરવું સહજ બની જાય છે. દુઃખમાં પણ પ્રશમભાવ.....ઉપશમભાવ ટકી રહે છે સમકિત દ્રષ્ટિ જીવને.
કોણિક શ્રેણિકને ચાબુકથી મારે છે, છતાં પણ શ્રેણિક ઉપશમ ભાવમાં રહે છે. આ પ્રભાવ હતો ભેદજ્ઞાનનો.
છતાં પણ મૃત્યુ સમયે શ્રેણિકને પ્રશમભાવ ન રહ્યો. રૌદ્ર ધ્યાન આવી ગયું, અને મરીને તે નરકમાં ગયા !
સભામાંથી આવું કેમ બન્યું? મહારાજશ્રી - કારણ કે તેમણે નરકગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું હતું. જીવે જે ગતિનું આયુષ્યક્રમ બાંધી લીધું હોય છે, એ ગતિ અનુસાર મૃત્યુના સમયે જીવનું
ધ્યાન” બને છે. નરકગતિનું આયુષ્યકર્મ બાંધ્યું હોય તો મરતી વખતે રૌદ્ર ધ્યાન જ આવશે, અને રૌદ્ર ધ્યાનમાં જે આયુષ્ય કર્મ બંધાય છે તે નરકગતિનું જ બંધાય
શ્રેણિકે સમ્યગ્ગદર્શન પામતા પૂર્વે નરકગતિનું આયુષ્ય કર્મ બાંધી લીધું હતું. આત્મામાં સમ્યગદર્શન પ્રગટ થાય એ સમયે જો આયુષ્યકર્મ બંધાય છે તો દેવગતિનું જ બંધાય છે. આ દ્રષ્ટિએ પણ સમ્યદર્શનનું મહત્ત્વ સમજવું જોઈએ. સમ્યગદર્શનથી સંવેગ ભાવ જાગે છે
એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવી કે સમ્યગ્ગદર્શન આત્માનો પોતાનો ગુણ છે. તે ગુણ પ્રકટ થતાં કેટલાક અન્ય ગુણો સ્વતઃ પ્રકટ થાય છે. “સંવેગ”આવો સ્વતઃ પ્રકટ થનારો વિશિષ્ટ ગુણ છે. "નિર્વેદ” "અનુકંપા” વગેરે આવા ગુણો છે.
સંવેગ એટલે મોક્ષની ઈચ્છામોક્ષની ઇચ્છા એટલે આત્માના વિશુદ્ધ સ્વરૂપની ઝંખના. આ ઇચ્છા ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે આત્મા અને મોક્ષનું સ્વરૂપ જાણ્યું હોય. જેમ જેમ આત્માનું વિશુદ્ધ સ્વરૂપ સમજતા જઈએ તેમ તેમ એ સ્વરૂપને પામવાની ઈચ્છા વધતી જાય. સમકિતવૃષ્ટિ જીવને આત્માનું શુદ્ધ સ્વરૂપ ખૂબ ગમે
કર્મોનો કોઈ પ્રભાવ નહીં, કમની કોઈ વિટંબણા નહીં, માત્ર આત્મ સ્વરૂપમાં જ રમણતા ! સમકિતદ્રષ્ટિ જીવ આવી રમણતા કરવા માટે લાલાયિત બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org