________________
પ૮
શ્રાવક જીવન ટકતા નથી, ઉદયમાં આવતા નથી. તીવ્ર કષાયોની પરિણતિ દૂર થતાં જ આત્મામાં કંઈક શાન્તિ અનુભવાય છે. કષાય ઘટતાં પ્રશમભાવ વધે છે, કષાય વધતાં અશાંતિ-સંલેષ વધે છે.
અલબત્ત સમ્યગ્દર્શનની સાથે અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન કષાયો તો રહે જ છે, આ કષાયોનો ઉદય થાય છે. આ કષાયોને કારણે અશાંતિ, સંકલેષ......વગેરે રહેશે. પણ તીવ્રતા નહીં રહે. ક્રોધ, માન, માયા અને લોભ રહેશે અવશ્ય, પરંતુ તીવ્રતર, તીવ્રતમ નહીં હોય.
સમકિતવૃષ્ટિ મનુષ્ય ચિત્તની સમતુલા જાળવી શકે છે. સમયાનુસાર અને ભાગ્યાનુસાર પરિસ્થિતિઓ અનુકૂળ પણ હોય છે અને પ્રતિકૂળ પણ. આ ભિન્નતા વચ્ચે પોતાના ચિત્તનું સંતુલન સમકિતી મનુષ્ય જાળવી રાખે છે. તે સુખદુઃખના આવેગોને એટલા તો વધવા દેતો નથી કે જેથી હલચલ પેદા થાય, ચિત્તનું સંતુલન બગડી જાય. મગધ સમ્રાટ શ્રેણિક
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અનન્ય ભક્ત મગધ સમ્રાટ શ્રેણિક સમકિતવૃષ્ટિ જીવ હતા. તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન હતું, એટલે કે તેમની આત્મસત્તામાંથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય સદાને માટે ચાલ્યાં ગયાં હતાં. સર્વત્ર એમના સમ્યગ્દર્શનની પ્રશંસા થતી હતી.
સમ્રાટ શ્રેણિકને ઉત્તરાવસ્થામાં અકલ્પિત ભયાનક દુઃખ આવી પડ્યું. તેમના જ પુત્ર કોણિકે રાજ્યસત્તા હસ્તગત કરી લીધી અને પિતાને કારાવાસમાં કેદ કરી દીધા. તમે કદાચ મગધનો ઇતિહાસ વાંચ્યો હશે. અતિશય રોમાંચક અને દર્દમય એ ઇતિહાસ છે. શ્રેણિકને કોણિક પ્રત્યે અગાધ પ્રેમ હતો! કોણિકનો જન્મ થયો ત્યારથી શ્રેણિકને તેના પ્રત્યે અનહદ પ્રેમ હતો. જો કે કોણિકની માતા રાણી ચેલણાને પુત્ર પ્રત્યે પ્રેમ ન હતો. કારણ કે પુત્ર ગર્ભમાં હતો ત્યારથી જ ચેલણાને સંકેત મળી ગયો હતો કે “આ પુત્ર પિતાનો ઘાતક બનશે!” એટલે તો જન્મ થતાંની સાથે જ ચેલણાએ એને દાસી મારફતે નગર બહાર કચરામાં નખાવી દીધો હતો. રાણી ચેલણાનો રાજા શ્રેણિક પ્રતિ અગાધ પ્રેમ હતો. એ એવો પુત્ર ઇચ્છતી ન હતી કે જે પિતાનો ઘાતક બને.
કમની વિચિત્રતા જુઓ ! પુત્ર પિતાનો ઘાતક થનારો છે, પિતા પ્રત્યે ઘોર તિરસ્કાર કરનારો છે, ક્રૂરતાથી દુઃખ આપનારો છે; એના પ્રત્યે પિતાને રાગ છે! મોહ છે ! મમતા છે ! આ ઉપરથી ફલિત થાય છે કે જીવાત્મા જેના ઉપર
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org