________________
૫૬
શ્રાવક જીવન
છે. આ સમ્યગ્દર્શન હજારો-લાખો વર્ષો સુધી પણ રહી શકે છે. અને ચાલ્યું જાય તો અલ્પ ક્ષણોમાં પણ ચાલ્યું જઈ શકે છે.
♦ ક્ષાયિક સમ્યગ્દર્શન
મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયોનો સંપૂર્ણ નાશ થતાં જે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તેને ક્ષાયિક સમ્યગ્દર્શન કહે છે. આ ક્ષાયિક સમ્યગ્દર્શન એક વાર જ પ્રકટ થાય છે. અને પ્રકટ થયા બાદ કદી જતું નથી. એ આત્મામાં કદી પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય આવતા જ નથી.
સમ્યગ્દર્શનનો શુભ ભાવ આત્મામાં હોય અને કદાચ એ સમયે મૃત્યુ આવી જાય, તો જીવની સદ્ગતિ જ થાય છે. સમ્યગ્દર્શનનો આટલો અચિંત્ય પ્રભાવ
છે.
સભામાંથી : શું સમ્યગ્ દર્શન માત્ર મનુષ્યને જ થાય છે કે અન્ય જીવોને પણ થાય છે ?
મહારાજશ્રી ઃ ચારે ગતિના જીવોને સમ્યગ્ દર્શન થઈ શકે છે. નારકીના નારક જીવોને, તિર્યંચગતિના પશુ-પક્ષીઓને, દેવગતિના દેવોને અને મનુષ્યોને સમ્યગ્ દર્શન થઈ શકે છે.
આપણી મૂળભૂત વાત એ છે કે સમ્યગ્દર્શન વગર શ્રાવક ધર્મનાં વ્રત ગ્રહણ કરી શકાતાં નથી. વ્રતધારણ કરનારાઓમાં સમ્યગ્દર્શન તો હોવું જ જોઈએ. સમ્યગ્દર્શન વગર ગ્રહણ કરેલાં વ્રતો નિષ્ફળ જાય છે; મિથ્યાત્વનો અગ્નિ વ્રતોને સળગાવી દે,છે. એટલે કે મિથ્યાત્વની સાથે વ્રતોનો ભાવ આત્મામાં ટકી શકતો નથી.
संयमा नियमाः सर्वे नाश्यन्तेऽनेन पावनाः । क्षयकालानलेनेव पादपाः फलशालिनः ॥
જેવી રીતે ફળોથી ભરપૂર વૃક્ષો પ્રલયકાલીન અગ્નિથી બળીને નાશ પામે છે, તેવી જ રીતે પાવનકારી સંયમ અને વ્રતાદિ સર્વ મિથ્યાત્વથી નાશ પામે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે વ્રતધારી શ્રાવક બનવું હોય તો સમ્યગ્દર્શનવાળા થવું જોઈએ. આ સમ્યગ્દર્શન આત્મામાં છે કે નહીં, તેનાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે. જો પાંચે લક્ષણો છે....દેખાતાં હોય તો માનવું જોઈએ કે આત્મામાં સમ્યગ્દર્શન છે.
આજ બસ આટલું જ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org