________________
૫૪
શ્રાવક જીવન મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો સાથે સાથે રહે છે. જ્યાં મિથ્યાત્વ ત્યાં અનંતાનુબંધી કષાયો અને જ્યાં અનંતાનુબંધી કષાયો ત્યાં મિથ્યાત્વ ! અનંતાનુબંધી કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ તીવ્ર કોટિના હોય છે ! તે આત્માને અનંત દુખ આપનારા છે. અનંત કાળ સંસારની દુર્ગતિઓમાં રખડાવનારા હોય છે. એટલા માટે તે અનંતાનુબંધી કહેવાય છે.
એ રીતે આ ચાર કષાયો ચાર પ્રકારના હોય છેઃ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. સૌથી વધારે તીવ્ર હોય છે અનંતાનુબંધી કષાય. ૦ અનંતાનુબંધી ક્રોધને પહાડની ફાટ-કંદરા સમાન માનવામાં આવે છે. પહાડ ફાટી જાય અને ફાટ પડી જાય તો દૂર કરવી કેટલી મુશ્કેલ હોય છે ? અનંતાનુબંધીનો ક્રોધ આવો હોય છે. અનંતાનુબંધી માનને પથ્થરના સ્તંભની ઉપમા આપવામાં આવી છે. પથ્થરનો તંભ તૂટી શકશે પરંતુ વળશે નહીં. અનંતાનુબંધી માન આવા પ્રકારનું હોય
અનંતાનુબંધી માયા વાંસના મૂળ જેવી હોય છે. વાંસ કાપવો સરળ હોય છે. પરંતુ વાંસના મૂળને કાપવું અતિ દુષ્કર હોય છે. અનંતાનુબંધી માયા આવી હોય છે. લાખ જન્મ વીત્યા પછી પણ આ માયા દૂર થતી નથી. અનંતાનુબંધી લોભ કૃમિરાગ” જેવો હોય છે. કૃમિરાગ એવો રંગ હોય છે કે જે ધોવા છતાં પણ જતો નથી. કપડું ફાટી જશે પરંતુ રંગ જશે નહીં. અનંતાનુબંધી લોભ એવો હોય છે. સમ્યગુદર્શન આત્મામાં પ્રગટ થતાં, નથી રહેતું મિથ્યાત્વ અને નથી રહેતા તીવ્ર કષાયો–તીવ્ર સંકલેષ. તીવ્ર કષાય દૂર થતાં આત્મામાં ઉપશમ ભાવ ઉત્પન્ન થાય છે. કષાયોની સમય-મર્યાદા બંધાઈ જાય છે. કષાયો ન કરવા જોઈએ, કષાયો ખરાબ હોય છે” એ વાત આત્માને ગમી જાય છે. ૬. સમ્યગ્દર્શન કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવા દેતું નથી
જ્ઞાનાવરણ આદિ જે આઠ કર્મો છે તે બધાં કર્મોની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. જઘન્ય એટલે ઓછામાં ઓછાં અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે.
જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (કાલ) જીવ ૭૦ કોડાકોડી સાગરોપમની બાંધી શકે છે. (એક ક્રોડ x એક ક્રોડ = એક કોડાકોડી) પરંતુ કમની આ ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org