________________
ભાગ ૧
પાર ન રહ્યો. કોલસા સોનામહોરો બની ગયા હતા !
પહેલાં ધનદને જે કોયલા દેખાતા હતા તે સોમચંદ્ર મુનિને એના શુદ્ધ રૂપે સોના મહોરો દેખાતી હતી ! કોયલા અશુદ્ધ રૂપ હતું. દુર્ભાગ્યથી સોનામહોરો કોયલાના રૂપમાં દેખાતી હતી. સોમચંદ્ર મુનિના પુણ્યપ્રકર્ષથી સોનામહોરો દેખાવા લાગી ! એ જ રીતે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી વસ્તુનું અશુદ્ધ રૂપ દેખાય છે અને સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુનું શુદ્ધ સ્વરૂપ દેખાય છે.
ધનદ શ્રેષ્ઠી હર્ષવિભોર થઈ ગયો; તે સોમચંદ્ર મુનિના ચરણોમાં પડ્યો અને બોલ્યો : "હે મુનિરાજ, આપ ખરેખર મહાન પુણ્યશાળી આત્મા છો. આપ તરુણ છો છતાં પણ આપનો અદ્ભુત પ્રભાવ પ્રકાશિત થઈ રહ્યો છે. આપના દૃષ્ટિપાત માત્રથી જ જે સોનામહોરો કોયલા બની ગઈ હતી તે ફરીથી સોનામહોરો બની ગઈ. આપે આ સુવર્ણદાન આપીને મને અને મારા પરિવારને નવું જીવન અર્પી છે. હે મહાત્મા, આપ એક બીજી કૃપા કરો; આ સોનામહોરોના ઢગલાને આપ સ્પર્શ કરો, જેથી તે ફરીવાર કોયલા ન બની જાય !”
ન
૫૩
સોમચંદ્ર મુનિએ સોનામહોરોના ઢગલાને સ્પર્શ કર્યો. ધનદે એ રાશિ મુનિવરોના જોતાં જ ભંડારમાં મુકાવી દીધો. ધનદ અને તેના પિરવારને અતિ આનંદ થયો. સૌનાં મુખ ખીલી ઊઠ્યાં, હ્રદય ઉલ્લાસમય થઈ ગયાં.
બંને મુનિવરો સાથે ધનદ પણ ઉપાશ્રયે યો, ગુરુદેવને વંદન કરીને ગદ્ગદિત સ્વરે બોલ્યો : "હે પૂજ્યવર ! આપના શિષ્યના પ્રભાવથી જ કોલસાનું સોનું બની ગયું ! આ બધું જ સોનું આપનું છે. મારા ઉપર કૃપા કરો અને ફરમાવો કે આ સોનાનો વ્યય કેવી રીતે કરું ?"
આચાર્ય ભગવંતે કહ્યું : “મહાનુભાવ ! આ તારો કૃતજ્ઞતા-ગુણ છે. તું એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરી શકે છે.” ધનદ શેઠે નાગપુરમાં ભવ્ય જિનમંદિરનું નિર્માણ કર્યું અને આચાર્યશ્રી દેવચંદ્ર સૂરીશ્વરજીના કરારવિંદોથી શ્રી મહાવીર ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
મિથ્યાત્વ ચાલ્યું જાય છે અને સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રકટ થાય છે ત્યારે અપૂર્વ ભાવોલ્લાસ ઉત્પન્ન થાય છે. જેમ કે કોયલા સોનું બની ગયા જોઈને ધનદને આનંદ થયો !
૫. સમ્યગ્દર્શન તીવ્ર કષાય દૂર કરે છે ઃ
મિથ્યાત્વ ચાલ્યું જાય છે તેની સાથે અનંતાનુબંધી કષાય પણ ચાલ્યા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org