________________
પર
શ્રાવક જીવન દુર્ભાગ્યને નિંદે છે. તે તેની સુશીલ પત્નીને કહે છે - तावन्मतिः स्फुरति, वल्गति शास्त्रमन्तः,
शौन्डीर्यमुल्लसति भाति महत्त्वमुच्यैः । यावन्मनोरथ रथ प्रथिताद्रिमार्गे
न प्रतिकूलिकतमत्वमुपैति देव ! ॥ મનુષ્યની બુદ્ધિ ત્યાં સુધી જ ઉલ્લસિત રહે છે અને શાસ્ત્રોની ચર્ચા ચાલે છે. મનુષ્યનો ગર્વ ત્યાં સુધી જ ઉછળે છે અને મનુષ્યનું મહત્ત્વ પણ ત્યાં સુધી જ દેખાય છે, જ્યાં સુધી દૈવ (દુભગ્ય) એના મનોરથ રૂ૫ રથના માર્ગમાં આવીને ઊભું રહેતું નથી.
ધનદ તેના પરિવાર સાથે સમતાપૂર્વક દુખનો સમય વ્યતીત કરતો હતો. એક દિવસ સોમચંદ્ર મુની વીરચંદ્ર ગણીની સાથે ગોચરી માટે ધનદ શેઠને ઘેર પહોંચ્યા. એ સમયે ધનદ શેઠ પરિવાર સાથે હવેલીના બહારના ભાગમાં બેઠા હતા. સૌના ચહેરા ઉદાસ હતા. જાણે બધાં જ બીમાર પડી ગયાં હોય તેવાં જણાતાં હતાં. બધાં મીઠાની રાબ પી રહ્યાં હતાં. સોમચંદ્ર મુનિવરે આ દ્રશ્ય જોયું. હવેલીને પણ અંદરબહારથી બરાબર જોઈ લીધી. પછી તેમણે વીરચંદ્ર ગણીજીને પૂછ્યું : મહાત્મા! આ ગૃહસ્થ આટલો સમૃદ્ધ હોવા છતાં રેકનિધનની જેમ કેમ જીવી રહ્યો છે ? તે રાજવીની માફક ખાઈ-પી શકે છે. સુંદર મૂલ્યવાન વસ્ત્રો પણ પહેરી શકે તેમ છે !”
વીરચંદ્ર ગણીજીએ કહ્યું "મુનિરાજ ! તમે સદા શ્રીમંતોના ઘરોમાંથી ગોચરી લાવો છો એટલે તમને નિર્ધનોની પરિસ્થિતિનો અંદાજ ક્યાંથી આવી શકે ? તમે કોઈક વાર નિધનોના ઘેર પણ ભિક્ષા લેવા આવતા રહો તો વાસ્તવિક પરિસ્થિતિનું જ્ઞાન થઈ શકે !”
સોમચંદ્ર મુનિએ કહ્યું "હે મહાત્મા! આપ આ શ્રેષ્ઠીને નિર્ધન–દુખી શા માટે કહો છો ? એના ઘરમાં તો સોનામહોરોના ઢગલા પડ્યા છે....હું જોઈ શકું છું ને ?" સોમચંદ્ર મુનિની વાત સાંભળીને વીરચંદ્ર મુનિની આંખો આશ્ચર્ય-
વિસ્ફારિત થઈ ગઈ. તેમણે ધીમેથી પૂછ્યું: "ક્યાં છે એ સોનામહોરો?” સોમચંદ્ર મુનિએ ઇશારાથી એ ઢગલા બતાવ્યા.
બાજુમાં જ ઊભેલો ધનદ શ્રેષ્ઠી બંને મુનિવરોની વાતો સાંભળે છે. તેણે વીરચંદ્રજીને પૂછ્યું : "ગુરુદેવ, આ બાલ મુનિરાજ શું કહે છે ?” વીરચંદ્ર મુનિએ આખી ય વાત કહી. ધનદે પણ કોલસાના ઢગલાઓ તરફ જોયું...તેના આશ્ચર્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org