________________
પ૧
ભાગ - ૧ નિષેધ કરી દે છે. તે અસત્ આગ્રહ નહીં કરે, પણ સત્ આગ્રહ અવશ્ય કરશે. તે યથાર્થવાદી થશે.
આત્મા.....પરમાત્મા.....પરલોક આદિ અગમ-અગોચર તત્ત્વોના વિષયમાં મિથ્યાદર્શનના અંધકારમાં જે આગ્રહો થાય છે તે તમામ આગ્રહો સમ્યગ્દર્શનનો પ્રકાશ પ્રાપ્ત થતાં છૂટી જાય છે. ૪. સમ્યગદર્શન વસ્તુનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે:
પ્રત્યેક વસ્તુનાં બે સ્વરૂપ હોય છે. શુદ્ધ અને અશુદ્ધ. મિથ્યાવૃષ્ટિ જીવ અશુદ્ધ સ્વરૂપ જુએ છે, એટલે કે માને છે. સમકિતવૃષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપ જુએ છે – માને છે. અર્થાત્ જે વસ્તુ કે પદાર્થ જેવો હોય છે તેવો જ સમકિતવૃષ્ટિ જુએ છે અને બીજાંને બતાવે છે.
મિથ્યાત્વના અંધકારમાં જે વસ્તુ જેવી હોય છે તેવી દેખાતી જ નથી, તો પછી બતાવવાની તો વાત જ કયાં રહી? ખોટું જોશે, અશુદ્ધ જોશે તો અશુદ્ધ બતાવશે. સાચું જોશે. શુદ્ધ જોશે તો શુદ્ધ બતાવશે.
"કુમારપાળચરિત્ર"માં નાગપુરના શ્રેષ્ઠી ધનદની એક ઘટના બતાવવામાં આવી છે. આચાર્યદેવશ્રી દેવચંદ્રસૂરિજી ખંભાતથી વિહાર કરતા નાગપુર પધાયાં. નાગપુરના જૈન સંઘમાં અપૂર્વ ઉલ્લાસ વ્યાપ્યો. લોકો આચાર્યદિવનાં પ્રવચનો સાંભળવા ઊમટી પડ્યા. શ્રી સોમચંદ્ર મુનિ તેમની અપૂર્વ વિદ્વત્તાથી અને વચનશક્તિથી ઘણા જ લોકપ્રિય બની ગયા.
આ બાજુ નાગપુરમાં ધનદ નામે એક ધનાઢ્ય માણસ, જે ખૂબ મોટો દાનવીર હતો, વિશાળ પરિવારવાળો હતો, તેણે ઠેરઠેર ભંડારો સંતાડી રાખ્યા હતા; તેનું દુર્ભાગ્ય ઉદયમાં આવ્યું ને પરિણામ સ્વરૂપે તેની સમગ્ર સંપત્તિ ચાલી ગઈ. એટલું દારિત્ર્ય આવી ગયું કે વિશાળ હવેલીની માત્ર દીવાલો જ બચી; સર્વસ્વ વેચાઈ ગયું. બે ટંકનું પૂરું ભોજન પણ મળતું ન હતું. આ સમયે ધનદ શેઠને પેલા ઠેર ઠેર સંતાડેલા ભંડારો યાદ આવ્યા. તેના મનમાં ઉલ્લાસ જાગ્યો. તેણે એ ભંડારો બહાર કઢાવ્યા. પરંતુ એણે જોયું તો સોનામહોરોને બદલે કાળા કોલસા હતા ! તેની છાતી બેસી ગઈ. તે ભ્રમિત જેવો થઈ ગયો. છતાં પણ પોતાનાં પાપકર્મોનો વિચાર કરતાં કરતાં સ્વસ્થ થયો.
હવેલીના એક ખૂણામાં કોલસાનો ઢગલો કરી દીધો. જો કે એક સમયે તે ધન ભંડાર હતો ! સોના મહોરો હતી! ધનદ દરરોજ એ કોલસા જુએ છે અને પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org