________________
૫૦
શ્રાવક જીવન સર્વજ્ઞ ભાષિત ધર્મને જ ધર્મ માને છે.
પહેલાં આત્માને નિત્ય યા તો અનિત્ય માનતો હતો; હવે સમ્યગુદર્શનના પ્રકાશમાં તેનો વિપયસિ દૂર થઈ જાય છે અને તે આત્માને "નિત્યાનિત્ય” માને છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયિથી અનિત્ય માને છે.
પૂર્વે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશરૂપ પંચભૂતોમાં જ આત્માની માન્યતા હતી, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં પંચભૂતથી ભિન્ન આત્માને માને છે. વિપયસિ દૂર થઈ જાય છે.
આ રીતે સર્વ તત્ત્વો અંગે સમકિત દ્રષ્ટિ જીવનું જ્ઞાન સ્પષ્ટ થઈ જાય છે. ભ્રમણાઓ દૂર થઈ જાય છે. ૩. અસતુ આગ્રહોથી સમ્યગદર્શન મુક્ત થાય છે:
સમક્તિ વૃષ્ટિ જીવ જેવી રીતે ભ્રમણાઓથી મુક્ત થાય છે તેમ ખોટા આગ્રહોથી પણ મુક્ત થાય છે. જે માણસ એકાન્તવાદી હોય છે તે જ ખોટા આગ્રહવાળો હોય છે. અનેકાન્તને સમજનારો અને માનનારો મનુષ્ય અસત આગ્રહ કદી ય કરશે નહીં. સમકિતવૃષ્ટિ મનુષ્ય અનેકાન્તવાદને માને છે! અપેક્ષાવાદને માને છે એટલે ખોટો આગ્રહ કદી નહીં કરે. હા, સાચો આગ્રહ જરૂર કરશે.
જેમ "આ ચંપકલાલ પિતા જ છે અથવા મામા જ છે” એવો ખોટો આગ્રહ તો નથી કરતાને ? પરંતુ કોઈ કહે કે "આ ચંપકલાલ તેમના બેટાનો બાપ નથી....એમના ભત્રીજાનો પિતા છે.....તો તમે સ્પષ્ટ ઇન્કાર કરી દેશો. તમે આગ્રહપૂર્વક કહેશો કે, “ચંપકલાલ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે અને ભત્રીજાની અપેક્ષાએ કાકા છે.”
સંસાર-વ્યવહારમાં જેવી રીતે તમે ખોટી વાતનો આગ્રહ રાખવો પસંદ કરતા નથી, એવી રીતે સમકિતદ્રષ્ટિ પુરુષ તત્ત્વવિષયક ખોટા આગ્રહોથી મુક્ત થઈ જાય છે. "આત્મા નિત્ય છે” એવો આગ્રહ થતો નથી, તેમ આત્મા અનિત્ય છે” એવો ખોટો આગ્રહ પણ થતો નથી. પરંતુ "આત્મા નિત્યાનિત્ય છે” એવો સાચો આગ્રહ એને અવશ્ય થાય છે. આમ તો "આત્મા દ્રવ્યદૃષ્ટિથી નિત્ય છે, અને પયયવૃષ્ટિથી અનિત્ય છે.” એવો સાચો આગ્રહ થાય છે; પરંતુ કોઈ કહે કે “આત્મા પયયવૃષ્ટિથી નિત્ય છે અને દ્રવ્યવૃષ્ટિથી અનિત્ય છે” તો તે નહીં માને સ્પષ્ટતયા ઈન્કાર કરશે.
સમ્યગુદર્શન સમુચિત અપેક્ષાઓ સાથે સમન્વય સ્થાપિત કરે છે, પરંતુ કોઈ અનુચિત અપેક્ષાઓ સાથે સમન્વય સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે તો તે સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org